________________
પર
મંત્રચિતામણિ
ધણું સોનું ધૂળ થવાનું. “ધીરજનાં ફળ મીઠાં' એ ઉક્તિનું આ પ્રસંગે અવશ્ય અનુસરણ કરવું ઘટે.
વીરતા એટલે સુશ્કેલીઓ સામે ઝઝુમવાનું શુરાતન, તેને પાર કરવાની અનેરી ધગશ. આ ગુણ કેળવ્યા વિના કોઈ પણ મંત્રસાધક મંત્રસાધનામાં કે મંત્રપ્રયાગમાં સફલતા મેળવી શકે નહિ, કારણ કે સમય સમય પર મુશ્કેલીઓ તે આવવાની જ. જે એ વખતે કાયર બન્યા કે હિમ્મત -હારી ગયા તે પરિણામ શૂન્યમાં આવવાનું–બધી મહેનત માથે પડવાની.
વર્ષો સુધી મહેનત કરીને અમે મ તથા મંત્રપ્રયોગ અંગે જે અનુભવ મેળવ્યા છે, જે કંઈ સારભૂત સામગ્રી પ્રાપ્ત કરી છે, તે સાધકના હિતાર્થે આ ખંડમાં પ્રકટ કરેલી છે, એટલે સાધકેએ તેને શાંત-સ્થિર ચિત્ત વાંચવી-વિચારવી અને તેને આવશ્યક્તા અનુસાર ઉપગ કરે.