SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ મંત્રચિંતામણિ આપણું મનમાં પેસી જાય છે અને તે આપણી માનસિક એકાગ્રતાને ડહોળી નાખે છે. જે આપણે મન પર બળાત્કાર કરીએ એટલે કે વિચારોને જોરથી અટકાવવાનો પ્રયત્ન કરીએ તે પરિણમ વધારે ખરાબ આવે છે, અર્થાત્ એ વિચારે વારંવાર આવ્યા કરે છે અને આપણે જે પરિણામની આશા રાખી હોય, તે ધૂળમાં મળે છે. આ પરિસ્થિતિનું ઊંડું અવલોકન કરતાં અમને એમ લાગે છે કે પ્રજ્ઞાપરાધને લીધે અથત બેટી સમજ અને બેટી માન્યતાને લીધે આપણું વાસનાઓ વધી ગઈ, તેણે આપણુ મનને વિસ્તાર ઘણે મેટો કરી નાખ્યું અને આપણું આધુનિક તામસિક આહાર-વિહારે પણ તેમાં ઘણો ભાગ ભજળે, તેથી આજે આપણી આ સ્થિતિ થવા પામી છે; એટલે આપણે આપણી સમજણ અને માન્યતા સુધારીએ, વાસનાઓ પર કાબૂ રાખીએ અને આહાર-વિહારમાં પણ ધરખમ સુધારે કરીએ તે જ મનને શાંત અને એકાગ્ર કરી શકીશું અને તેના દ્વારા યથાર્થ મંત્રપાસના કરીને અભીષ્ટની સિદ્ધિ કરવાને શક્તિમાન થઈશું વાર, હકાર, રામનામ, ગાયત્રી મંત્ર, નમસ્કાર મહામંત્ર આદિની ઉપાસનાઓ નિર્દોષ છે, એટલે કે તેને સ્વીકાર કરીને આગળ વધતાં બીજી કંઈ હરક્ત આવતી નથી. કદાચ ધાર્યો લાભ ન થાય, તોયે નુકશાન તે થતું જ નથી, પણુ યક્ષ, યક્ષિણીઓ, ભૂત કે વ્યંતર આદિને વશ કરવાને પ્રસંગ હોય તે ત્યાં ખૂબ સાવધાની રાખવી પડે છે અને '
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy