________________
વર્ષ ૩૩ શ્રીમદ્ રાજચંદ્ર
વિ.સં.૧૯૫૬ અંતરંગ અભુત આત્મદશાનું આલેખન સંવત ૧૯૫૨માં ભગવાન મહાવીરના જન્મ જયન્તિ દિવસે ઝવેરી બજારમાં વરઘોડો નીકળ્યો. તે પોતાની પેઢીની બહારથી પરમકૃપાળુદેવે નિહાળ્યો. તે જ દિવસે પોતાની અંતરંગ અદ્ભુત આત્મદશાનું આલેખન આત્માર્થી જીવોના કલ્યાણ અર્થે અંગત ડાયરીમાં શ્રીમદે કર્યું. તે લખાણની શરૂઆત નીચે પ્રમાણે :
મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૨ જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજાં શું આપવાનો હતો? હે કૃપાળુ!
તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે...ૐ શ્રી મહાવીર (અંગત)” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૯૯)
૮૮.