________________
શુદ્ધ સમકિતની પ્રાપ્તિ
“ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વઘતી દશા, નિજસ્વરૂપ અવભાસ્યું રે.”
ઘન્ય “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૪૯)
“સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૧૫) “વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ!!!
-શ્રીમદ રાજચંદ્ર (વ.પૃ.૩૮૩)
શ્રીમદ્ઘ મન આખી મુંબઈ સ્મશાન
મુંબઈમાં એક વખત શ્રીમદ્ ફરવા ગયા. સ્મશાનની જગા આવી ત્યારે તેમની સાથે હતા તે ભાઈને પૂછ્યું : આ શું છે?” તે ભાઈએ જવાબ આપ્યો : “સ્મશાન.” શ્રીમદે કહ્યું : “અમે તો આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છીએ.” (જી.પૃ.૧૨૯) “સકળ જગત તે એઠવતુ , અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.” -આત્મસિદ્ધિ ગાથા-૧૪૦
અર્થ – “સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે.” ગાથા ૧૪૦ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૫૭)