SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ પાસે મહાત્મા ગાંઘીજીએ મેળવેલ સત્ય અને અહિંસાનું બળ શ્રીમદ્દ્ના ઉપદેશનો મુખ્ય પાયો અહિંસા—“ઘણી બાબતમાં કવિ (શ્રીમદ્)નો નિર્ણય, તુલના, મારા અંતરાત્માનેમારી નૈતિક ભાવનાને ખૂબ સમાધાનકારક થતો. શ્રીમદ્ના સિદ્ધાંતનો મૂળ પાયો નિઃસંદેહ ‘અહિંસા’ હતો. કવિનો અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્ય જાતિનો સમાવેશ થતો હતો.’’ મુખ્ય શીખવા યોગ્ય સત્ય અને અહિંસા—“એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા અને અહિંસાએ તો તે જૈન હતા અને તે એમના સ્વભાવથી એમની પાસે જ હતી.’’ શ્રીમા વચનાનુસાર ચાલનારને મોક્ષ સુલભ—‘શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમના લખાણો એ તેમના અનુભવનાં બિંદુ સમા છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને.’’ 49 દેશમ ''" ૮૧ ખૂન કરનાર પ્રત્યે પણ પ્રેમ અને દયા ધર્મનું કુંડા ભરીને પાન—“રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) સાથેનો મારો પ્રસંગ એક જ દિવસનો ન હતો. એમના મરણાંત સુધીનો અમારો સંબંધ નિકટમાં નિકટ રહ્યો હતો. ઘણીવાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમદ્ રાજચંદ્ર) ના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયા-ધર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ (અહિંસા) ધર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરી ભરીને પાન કર્યું છે.”
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy