SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાનથી જીવને મરણનો ભય વવાણિયામાં એકવાર શ્રીમદ્જી તથા મૂળજીભાઈ ભાટિયા ફરવા માટે ગયા. સ્મશાનથી થોડે દૂર ઊભા હતા. ત્યાં સ્મશાન તરફ જોતાં સળગતી વસ્તુ ચાલતી દીઠી. પછી બે, ચાર, છ, દસ સ્થાનોએ આવો પ્રકાશ ચાલતો દીઠો. મૂળજીભાઈ તે જોઈ ભય પામ્યા. ત્યારે પરમકૃપાળુદેવે આ ભય નિવારવા કહ્યું કે ચાલો, આપણે ત્યાં જઈએ. સ્મશાન તરફ જતાં રસ્તામાં એક માણસ મળ્યો.તેને પૂછતાં ખબર પડી કે એક મુસલમાન ગુજરી ગયો છે અને રાત હોવાથી કબ્રસ્તાન તરફ જતા આ બધા મશાલચીયો છે. અજ્ઞાનને લઈને જીવને ભય લાગે છે. તેમ સ્વરૂપ અજ્ઞાનતાના કારણે આ જીવ મરણથી ભય પામે છે. “મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૩૫) “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.’’-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૭૯) ૫૮
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy