SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘવૃષ્ટિ-યુગ પ્રઘાનપણાનું સૂચન - - - - - - શ્રી ચત્રભુજ બેચર જણાવે છે : “મોરબીથી શ્રીમદ્ભી જાન શ્રી વવાણિયા ગામે પાછી જતાં રસ્તામાં વૃષ્ટિ થઈ. થોડુંક માવઠું થયું. તે થઈ રહ્યાં પછી જે સિગરામમાં કાકુભાઈ વગેરે બેઠેલ હતા તેમાંથી હું ઊતરી તેઓશ્રી જે રથમાં બિરાજેલ હતા ત્યાં પાસે જઈ પરચૂરણ વાતો કરતાં દસેક મિનિટ સાથે ચાલ્યો હતો. તે વખતે તેમણે એક વાત એવી જણાવી કે આગળના યુગમાં આવા પ્રસંગે યુગપ્રઘાની પુરુષો પર વૃષ્ટિઓ થતી. જેથી મને એ યુગપ્રઘાનપણાનું સૂચન છે એમ લાગ્યું. તેમણે કરેલ આ વાત મને ચોક્કસ યાદ છે.” “સપુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે?” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૩૧૮) “જે જીવ પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૮૦૩) “આ યુગના પ્રઘાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર આ ભવમાં તો ઘણું કર્યું છે, પણ પૂર્વ ભવની કમાણી બહુ હતી. આઠ વર્ષમાં એમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. પહેલાં સાંભળેલું, આરાઘેલું યાદ આવી ગયું. તેત્રીસ વર્ષમાં ઘણું કામ કર્યું છે. છ દર્શનોનો વિચાર કરી બઘામાં સૌથી સારો ઘર્મ કયો એ નક્કી કરી આપ્યું.” (બો-૧ પૃ.૧૯૫) ૪૩
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy