________________
કાશી અભ્યાસ માટે આમંત્રણ
શ્રીમન્ને પોતાના નિર્મળ જ્ઞાનવડે જણાયું કે બે કચ્છી ભાઈઓ સાંઢણી ઉપર બેસી વવાણિયા, મોરબી થઈ અમારા માટે રાજકોટ આવી રહ્યા છે. તેથી શ્રી ઘારશીભાઈને પૂછ્યું કે બે ભાઈઓ કચ્છથી આવનાર છે તેમનો ઉતારો તમારે ત્યાં રાખશો ? તેમણે ખુશીથી હા પાડી એટલે શ્રીમદ્ તે ભાઈઓને આવવાના માર્ગ તરફ સામા ગયા.
એકાંતમાં કચ્છી ભાઈઓએ શ્રીમદ્ધે કહ્યું : આપની પ્રશંસા સાંભળી વધુ વિદ્યાઅભ્યાસઅર્થે આપને કાશી લઈ જવા વિનંતિ કરવા આવ્યા છીએ. આપની ખાવાપીવા વગેરેની બધી સગવડ અમે સાચવીશું.
જવાબમાં શ્રીમદે કહ્યું : ‘અમારાથી આવવાનું નહીં બને.’
તેઓ મનમાં સમજી ગયા કે એ તો ભણેલા જ છે. કાશી જઈ તેમને
વિશેષ ભણવાનું શું હોય ! આ કોઈ આશ્ચર્યકારી પુરુષ જણાય છે!
૧૬
નજીક આવ્યા એટલે શ્રીમદે
તેમને નામ દઈ બોલાવ્યાઃ કેમ
હેમરાજભાઈ?
કેમ
માલસીભાઈ?
તેઓ બોલ્યાઃ તમે
જ રાજચંદ્ર કે?
તમે કેમ જાણ્યું કે અમે અત્યારે આ
જ માર્ગે આવીએ
છીએ ? શ્રીમદે
ઉત્તરમાં જણાવ્યું : “આત્માની
“જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાઘિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૯૦)
અનંત શક્તિઓ
છે, તે વડે અમે જાણીએ છીએ.’’