SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું ૧) જે મકાનમાં પરમ કૃપાળુદેવ સમાધિસ્થ થયા તે મકાન “નર્મદા મેન્સન. ૨) શ્રી મનસુખભાઈ જણાવે છે–“દેહ ત્યાગના આગલા દિવસે સાંયકાળે રેવાશંકરભાઈ, નરભેરામ અને હું વગેરે ભાઈઓને પરમકૃપાળુદેવે કહ્યું: ‘તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે, તમે શાંત અને સમાઘિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.” (જી.પૃ.૨૯૭) ૩) “રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું: નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિમૃત્યુ છે.” “સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા તેમાંથી એક કૉચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી....એટલે સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કૉચ ઉપર વ્યવસ્થા કરી.” (જી.પૃ.૨૯૭) ૪) “પોણા નવે કહ્યુંઃ મનસુખ દુઃખ ન પામતો; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” (જી.પૃ.૨૬૭) ૧૩૮
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy