________________
શ્રીમનો આત્મા શાંત સિંહ જેવો.
ર.
ITUL
વઢવાણ કેમ્પમાં શ્રી છગનભાઈ નાનજીભાઈ લીંબડીવાળા તથા શ્રી મનસુખભાઈ રવજીભાઈને સંબોઘી પરમકૃપાળુદેવે જણાવ્યું કે :
સોનાનું પાંજરું ઊઘડી ગયું છે, સિંહને રાખી શકવાના નથી. બારણું ઊઘડી ગયું, સિંહ જવાની તૈયારીમાં છે. કહેવાનો આશય એમ સમજાય છે કે સિંહ જેવો અમારો આત્મા, તે હવે આ દેહ રૂપી પાંજરાને મૂકી ચાલ્યો જવાનો છે.
તે વિષે છગનભાઈ જણાવે છે તે સમયે પરમકૃપાળુદેવનું પ્રત્યક્ષ સ્વરૂપ જોયું હોય તો દેહ તે પાંજરા જેવો અને આત્મા તે શાંત સિંહ જેવો જણાતો હતો.
“સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા, શિષ્યનું ચિત્ત કાં કાંઈ થાક્યું, સિંહસમ સદ્ગુરુ શૂરવીર વિરલા, ભેટતાં ભાગ્ય ભંડેય ભાગ્યું.” (બ૩ પૃ.૩૦) “રે! સિંહના સંતાનને, શિયાળ શું કરનાર છે?
મરણાંત સંકટમાં ટકે તે, ટેકના ઘરનાર છે.” ૧ - વીર હાક જેને જ્ઞાનીનો આશ્રય મળ્યો છે તે સિંહના સંતાન જેવા છે.” (બોન્ડ પૃ.૧૧૧).
૧૩૬