________________
૧
લીલોતરી ઓછી કરી ભગવાનને ભક્તિભાવે
เว
પુષ્પ
ચઢાવે
AAA GAYAK
૧)
વસોના ચરામાં એક રાયણના વૃક્ષ નીચે પરમકૃપાળુદેવ પ.પૂ.પ્રભુશ્રીજી આદિ મુનિઓ સહિત બિરાજ્યાં. ત્યાં રસ્તેથી જતાં એક માળીને સ્વાભાવિક પ્રેમ આવવાથી પુષ્પો પરમકૃપાળુદેવ આગળ મૂક્યાં. મુમુક્ષુ મૂળજીભાઈએ પણ તેના ભાવ જોઈ એક આનો આપ્યો.
“પછી પરમકૃપાળુએ તે પુષ્પોમાંથી એક પુષ્પ લઈ કહ્યું કે જે શ્રાવકે સર્વથા લીલોતરી ખાવાનો ત્યાગ કર્યો હોય તે ભગવાનને પુષ્પ ચડાવી શકે નહીં; પણ જેણે લીલોતરીનો ત્યાગ કર્યો નથી એ પોતાના ખાવામાંથી લીલોતરી કમી કરી ભગવાનને ભક્તિભાવે પુષ્પ ચડાવે, અને મુનિને પુષ્પ ચડાવવાનો સર્વથા ત્યાગ હોય છે. તેમજ પુષ્પ ચડાવવા મુનિ ઉપદેશ પણ આપી શકે નહીં, એવું પૂર્વાચાર્યો કહી ગયા છે.’’ (જી.પૃ.૨૧૯)
૧૦૯
જિન પ્રતિમાનું પ્રબળ અવલંબન
૨) “પુષ્પ સંબંઘી આ ખુલાસો કર્યા પછી પ્રતિમાજી સંબંઘી પોતે જણાવ્યું કે સ્થાનકવાસીના એક સાધુ ઘણા વિદ્વાન હતા, તેઓ એક વખત વનમાં વિહાર કરીને જતા હતા ત્યાં એક જિન દેરાસર આવ્યું; તેમાં વિશ્રાંતિ લેવા પ્રવેશ કર્યો તો સામે જિનપ્રતિમા દીઠી, તેથી તેની વૃત્તિ શાંત થઈ અને મનમાં ઉલ્લાસ થયો. શાંત એવી જિન પ્રતિમા સત્ય છે એવું તેમના મનમાં થયું.'' (જી.પૃ.૨૧૯)
“પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયા. વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૫)