SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સમાગમનો વિરહ અસહ્ય વડવામાં શ્રીમદ્ સમીપે “શ્રી લલ્લુજી મુનિનું હૈયું ભરાઈ આવ્યું અને બોલ્યા, “હે નાથ! આપના ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપત્તી માટે જોઈતી નથી.' એમ કહી તેમણે શ્રીમદ્ભા આગળ મુહપરી નાખી અને આંખમાં અશ્રુ ઊભરાતાં ગદ્ગદ્ વાણીથી બોલ્યા : “મારાથી સમાગમનો વિરહ સહન થતો નથી.” (જી.પૃ.૧૮૨) થN “આ દ્રશ્ય જોઈ શ્રીમદ્ હૃદય પણ રડી પડ્યું, તેમની આંખમાંથી સતત અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો; કેમે કર્યો અટકે નહીં. શ્રી લલ્લુજી સ્વામીના મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું? અહો! ભક્તવત્સલ ભગવાન, મારો અવિનય અપરાશ થયો હશે? હવે શું કરું? ઇત્યાદિ પશ્ચાત્તાપના વિચારમાં તે લીન થઈ ગયા... શ્રીમદે મુનિ શ્રી દેવકરણજીને કહ્યું : “આ મુહપત્તી શ્રી લલ્લુજીને આપો. હમણાં રાખો.” (જી.પૃ.૧૪૨) “જ્યારે (સપુરુષનું) ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬૮)
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy