________________
સાતસો મહાનીતિ
માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંઠનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંઘ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંઘ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.” (વ.પૃ.૬૨૦)
બોઘામૃત ભાગ-૩'માંથી :- આત્માના માહાભ્ય આગળ બધી વસ્તુઓ તુચ્છ
શ્રી શુભચંદ્રાચાર્ય અને ભર્તુહરિનું દ્રષ્ટાંત-“ભર્તુહરિ અને તેમના મોટા ભાઈ શુભચંદ્રાચાર્ય બન્ને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતાં બન્ને ત્યાગી થયા. ભર્તુહરિ કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષ રહ્યા અને રસાયનવિદ્યા શીખી, એવો રસ એક તુંબડી ભરીને બનાવ્યો કે તે લોઢા ઉપર નાખે તો બધું સોનું થઈ જાય. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભર્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો, સાથે અડઘી તુંબડી રસ પણ આપ્યો અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોઘ કરતાં એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેણે દીઠા અને ઓળખ્યા. ભર્તુહરિના સમાચાર કહી પેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી. તેમણે તો પથરા ઉપર ઢોળી દીધી. પેલા શિષ્યને તો ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછો તે ભર્તુહરિ પાસે જઈ કહે, તમારા ભાઈ તો બહુ દુઃખી છે; પહેરવાને કપડાં નથી; રહેવા ઝૂંપડી સરખી નથી. નથી કોઈ ચેલો કે સેવક; બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ભર્તૃહરિને બહુ દયા આવી, તેથી જાતે બાકી અડઘી તુંબડી રસ હતો તે લઈને તેણે જણાવ્યું તે જંગલમાં ગયા, ને તેમને ઓળખી સમાચાર પૂછી તુંબડી પાસે મૂકી બધી હકીકત કહી કે બાર વર્ષ મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારી છે. તે તુંબડી લઈ ફરી પણ તેમણે ઢોળી નાખી. તેથી ભર્તુહરિ તો નિરાશ થઈ ગયો. ભાઈને સુખી કરવામાં પોતે ગરીબ થઈ ગયો.
તે ખેદ તેના મુખ ઉપરથી પારખી શુભચંદ્રાચાર્ય મુનિ કહે, “ભાઈ, આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તે છોડીને પાછા માયામાં કેમ ફસાઓ છો? મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વઘારવામાં કે લોકોને ઘન આપી મોટા ગણાવામાં કે લોકોની દવા કરી તેમનાં શરીરનાં સુખની ઇચ્છા કરવામાં હિત માનો તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? આ વનસ્પતિના રસમાં બાર વર્ષ ગાળ્યાં તેટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યાં હોત તો અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુનો ખેદ થાય છે તે ન થાત; કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેને તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય, પણ જુઓ.” એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા ઉપર નાખતાં બધી શિલા સોનાની થઈ ગઈ. પછી કહ્યું – આત્માના માહાભ્ય આગળ આ બઘી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે, તે સિવાયનું બધું દુઃખ છે. સંસાર બધો દુઃખથી ભરેલું છે. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જઈ પાણી ભરો તો ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળો તો આત્મહિત થશે.” તે બોઘ લાગતાં ભર્તુહરિ મોટાભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મધ્યાનમાં લીન થયા. તેમને વૈરાગ્ય વધવા “જ્ઞાનાર્ણવ' નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્યે લખ્યું છે. (બો.૩ પૃ.૧૯૭)
૧૮૧