SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા પર્યાયષ્ટિ : ૧. પર્યાયષ્ટિનાં વિષયભૂત પર્યાયસ્વભાવે પોતાનો આત્મા કાયમ પલટતાં અનેકરૂપ અધ્રુવ સ્વભાવે છે. અનેકરૂપ અધ્રુવ સ્વભાવે પોતાનાં આત્માની સાચી ઓળખ, ગણતરી, કિંમત કે મૂલ્યાંકન નથી. ર. પર્યાયસૃષ્ટિનાં વિષયભૂત પર્યાયસ્વભાવે પોતાની સાચી ઓળખ ન હોવાથી તે પોતા માટે ‘સ્વ’ નથી. વર્તમાન પર્યાયસ્વભાવાવ પરાશ્રયે પ્રવર્તતો હોવાથી તે રીતે પણ તે ‘પર’ છે તેથી પર્યાયસ્વભાવની પર્યાયષ્ટિ જ પરાશ્રય કે પરાધીનતાનું કારણ છે. આ પરાધીનતાથી સંસારનો માર્ગ અને સંસાર ચાલુ રહે છે. ૩. પર્યાચસૃષ્ટિનાં વિષચભૂત પર્યાચસ્વભાવે પોતે કાયમ પલટતાં ક્ષણિક સ્વભાવે છે, તેમ જ તે પોતાનું સાચું ‘સ્વ' ન હોવાથી તે આધાર, અવલંબન કે ધ્યાનને યોગ્ય નથી. તેથી તેના આધારે, અવલંબને કે ધ્યાને આત્માની અપ્રાપ્તિ એટલે કે પરાનુભવ જ હોય છે. ૪. પર્યાયષ્ટિનાં વિષચભૂત પર્યાચસ્વભાવે પોતાનો આત્મા અત્યારે બહુસ્પષ્ટ, અન્યઅન્ય, વિશેષ, સંયુકત, અનિયત, અનેકરૂપ સ્વભાવે છે. અનિયત કે અનેકરૂપ સ્વભાવે જે હોય તે અશુદ્ધ અને અપૂર્ણ હોય છે. જે અશુદ્ધ કે અપૂર્ણ હોય તે જ પામરદશા કહેવાય છે. તેથી પર્યાયષ્ટિથી પોતાનો આત્મા અત્યારે પામરદાપણે છે. દ્રષ્ટિ : ૧. દ્રવ્યદૃષ્ટિનાં વિષયભૂત દ્રવ્યસ્વભાવે પોતાનો આત્મા કાયમ ટકતા એકરૂપ ધ્રુવ સ્વભાવે છે. એકરુપ ધ્રુવ સ્વભાવે જ પોતાનાં આત્માની સાચી ઓળખ, ગણતરી, કિંમત કે મૂલ્યાંકન છે, ર. દ્રવ્યષ્ટિનાં વિષયમૂત દ્રવ્યસ્વભાર્વ જ પોતાની સાચી ઓળખ હોવાથી તે જ સાચું ‘સ્વ’ છે. તેથી દ્રવ્યસ્વભાવની દ્રવ્યદૃષ્ટિ જ સ્વાશ્રય કે સ્વાધીનતાનું કારણ છે. આ સ્વાધીનતાથી જ મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટે છે.. ૩. દ્રવ્યદૃષ્ટિના વિષયભૂત વ્યસ્વભાવે જ પોતે કાયમ ટકતા ધ્રુવ સ્વભાવે છે, તેમ જ તે પોતાનું સાચું ‘સ્વ' હોવાથી તે જ આધાર, અવલંબન કે ધ્યાનને યોગ્ય હોય છે. તેથી તેનાં આધારે, અવલંબને કે ધ્યાન જ આત્માની પ્રાપ્તિ એટલે સ્વાનુભવ હોય છે. કે ૪. દ્રવ્યદૃષ્ટિનાં વિષયમૂત દ્રવ્યસ્વભાવે પોતાનો આત્મા અબસ્પષ્ટ, અનન્ય, અવિશેષ, અણસંયુકત, નિયત, એકરૂપ સ્વભાવે છે. નિયત કે એકરૂપ સ્વભાવે જે હોય તે હંમેશાં શુદ્ધ અને પૂર્ણ હોય છે, જે શુદ્ધ અને પૂર્ણ હોય તે જ પરમાત્મસ્વભાવ કહેવાય છે. તેથી વ્યષ્ટિથી પોતાનો આત્મા અત્યારે પણ પરમાત્મસ્વભાવે છે. ૫.દ્રવ્યદૃષ્ટિનાં વિષચભૂત દ્રવ્યસ્વભાવે પોતાનો આત્મા અનેક ગુણોથી ભરચક ભરેલા અભેદ પરમાત્મસ્વમાવે છે. તેથી તેનાં આશ્રયથી જ આત્માના આનંદાદિ અનેક ગુર્જાથી સભર પરમાત્મદશા પ્રગટે છે. ઉપરોકત કારણોસર દ્રવ્યાષ્ટિ જ સમ્યક્ છે. ૩૫ ૫. પર્યાયષ્ટિના વિષચભૂત પર્યાચસ્વભાવે પોતાનો આત્મા અનેક પ્રકારના ગુણો અને પર્યાયોના મદ સહિતના પામરદશાપણે છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy