SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ૨.૧.૬. લઘુતાગ્રંથિ ન રહે પોતે ઘણો નાનો, નબળો, ધૈણે, ઉતરતા દરજ્જાનો કે હલકી કક્ષાનો છે અને દરજ્જાનો કે હલકી કક્ષાનો છે અને નિર્ધારિત કામ કરવાને સક્ષમ કે લાયક નથી એવી મનમાં ગાંઠ વળે તેવા ભાવને લઘુતાગ્રંથિ કહે છે. પોતાને પામર અને ઉતરતી કોટિનો માની પ્રયોજનભૂત નિર્ધારિત કાર્ય કરવા માટે પોતે યોગ્ય નથી તેવા પ્રકારની મનમાં ગાંઠ વાળી તેવા કાર્યથી દૂર રહેવું તે લઘુતાગ્રંથિ છે. કેટલાંક લોકો લઘુતાગ્રંથિથી કાયમ પીડાતા રહે છે, અને તેથી તેઓ પારમાર્થિક કે લૌકિક કોઈ પણ ક્ષેત્રમાં પોતાનો વિકાસ સાધી શકતા નથી. લૌકિકમાં કોઈ અમુક પ્રકારનો નવો ધંધો કરવાનો હોય, અંગ્રેજી શીખવું પડે તેમ હોય, કોમ્પ્યુટરમાં કામ કરવાનું હોય તો તેમાં મારૂં કામ નહિ તેમ માની તેનાથી દૂર રહે છે, પારમાર્થિકમાં કુંદકુંદાચાર્યદેવના પ્રવચનસાર, સમયસારાદિ મુળ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો હોય તો આમાં મારી ચાંચ ન ડૂબે, મને ન આવડે એમ માની તેનો અભ્યાસ ન કરે તો તે એક લઘુતાગ્રંસિ જ છે. ૧૧ જગતમાં કોઈપણ કાર્ય અશકય હોતું નથી. કાળા માથાનો માનવી નેવાના પાણી મોભે ચઢાવી શકેકે છે. પણ તે માટે પ્રબળ ઈચ્છાશક્તિ (WIIIpower)ની જરૂરિયાત હોય છે. કહેવત છે કે મન હોય તો માળવે જવાય’A Will will find a way) પરંતુ પોતાનું આ મન એટલે કે ઈચ્છાશક્તિ ઉત્પન કરવામાં પણ લઘુતાગ્રંથિ જ આડે આવે છે. આ લઘુતાગ્રંથિ દૂર કરવી હોય તો પોતાને આ પરમાત્મસ્વભાવપણે સ્વીકારવો જોઈએ. 'હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી પોતે પોતાને પરમાત્મસ્વભાવપણે સ્વીકારે છે. પોતાના સ્વભાવથી પોતે ચૈતન્ય ચક્રવર્તી છે જગતમાં સર્વોત્કૃષ્ટ ચૈતન્ય મહાપદાર્થ છે. પોતે સાક્ષાત્ ભગવાન જેવો છે, અરે ! ભગવાન જ છે. પોતામાં અનંત અનંત ગુણો છે અને દરેક ગુણનું સામર્થ્ય પણ અનંત અનંત છે. પોતે અભણ હોય ભણેલો હોય, ગરીબ હોય કે અમીર હોય એ કોઈનાથી ઉતરતો નથી. તેથી પોતે જે ધારે તે કરી શકે છે. પોતા માટે કોઈ ચીજ અશક્ય નથી. આ રીતે આ સિદ્ધાંત સમજવાથી લઘુતાગ્રંથિ કોઈ પણ પ્રકારે સંભવતી નથી. કે બધી બાહ્ય બાબતો છે. અંતરંગ સામર્થી પોતે તે લઘુતાગ્રંથિ એટલે કે નબળી મનોવૃતિ ધરાવનાર માણસ કયારેય સફળતા પામતો નથી. રાતો રાતો જાય તે મૂઆના જ સમાચાર લાવે તેમ નબળી મર્દાવૃતિવાળો નિષ્ફળતા જ પામે. આ નબળીી પારમાર્થિક તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતો મને ન સમજાય. આચાર્યદેવના મૂળશાસ્ત્રોનો અભ્યાસ કરવો એ મારૂં કામ નહિ. એ બધી લઘુતાગ્રંશિના કારણે ઉદ્ભવતી આત્માની આડોડાઈ છે, એક પ્રકારનો અનંતાનુબંધીનો માયાચાર છે, જો પોતે પોતાને પરમાત્મસ્વભાવપણે સ્વીકારે તો આવી હીણપતબુદ્ધિરૂપ કે લઘુતાગ્રંથિરૂપ માયાચાર મનોવૃત્તિ કે લઘુતાગ્રંથિ મટાડવાનો એક માત્ર તુરત જ મટી જાય છે તેમ જણાવતા આચાર્યશ્રી ઉપાય પોતાને પામરને બદલે પરમાત્મસ્વભાવણે યોગીન્દુદેવ કહે છે — સ્વીકારવાનો છે. (દોહરો) કાવર તે આલમ લખો. એ સિાાિક સારડ એમ જાણી શોખીનો, વ્યાો માયાવાર
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy