SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ઉત્તમ પ્રકારના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને પોતાના હૃદયમાં અવશ્ય ધારણ કરે છે. આચાર્યશ્રી કુંદકુંદના શબ્દોમાં (હરિગીત) કે પરગતિ રાગથી જિાવર પ્રદાળુને નમેં, તે મળેલી મૂળો વર ભાવશસ્ત્ર વડે ખણે. ભાવાર્થ : જે પુરુષ પરમ ક્તિ અનુરાગથી જિનવરના ચરણકમળોને નમે છે તે ઉત્તમ પ્રકારના ભાવશસ્ત્રને ધારણ કરી તેના વડે જમવેલી મૂળનો એટલે કે સંસારરૂપી વેલના મૂળનો એટલે કે મિથ્યાત્વનો નાશ કરે છે. વિશેષાર્થ : અહીં જે પુરુષ પોતાની પરમ દૈન્યતાની ઓછાઈના દોષને દૂર કરી જિનેન્દ્ર ભગવાનનો અંતરના ઉમળકાપૂર્વ વિનય કરે છે. તે પુરુષ ઉત્તમ પ્રકારના ભાવારષને ધારણ કરે છે. અહીં ભાવગરવમાં ભાવ એટલે કે હૃદય અને શસ્ત્ર એટલે કે જિનેન્દ્ર પ્રરૂપિત તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત. તેથી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયમાં ધારણ કરવું એટલે કે ચલન કરવું તે ભાવાવનું ધારણ કરવું છે. આ ભાવાવ ઉત્તમ પ્રકારનું છે એટલે કે ‘હું પરમાત્મા છું” જેવા ઉત્તમ પ્રકારના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને પોતે હ્રદયમાં ધારણ કરે છે. એટલે કે હૃદયગત કરે છે. તે મિથ્યાત્વને મટાડનાર છે.. (ભાવપાહુડ : ગાથા ૧૫૩) તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદરાગત ન થવાના ગૌણ કારણો ૧૪૧ (અનુષ્ટુપ) कान्पप्रमुखाः पंच, भावना रागरंजिताः । येषां हृदि पदं चकुः कृतेषां वस्तुनिशयः ॥ कान्दप कैल्विषी चैव, भावना चाभियोगिकी | बनवी चापि संमोही, व्याच्या पंचायी च सा ॥ ભાવાર્થ : જેના મનમાં રાગથી રંજિત કાંદર્પી પ્રમુખ છે તેવી પાંચ ભાવનાઓનો નિવાસ છે તેને વસ્તુનો નિશ્ચય એટલે કે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કેમ થઈ શકે? ન જ થઈ શકે. આ પાંચ ભાવનાઓ છે: ૧. કાંદર્પી, ૨. ડેલ્હિી, ૩. આભિયોગિડી, ૪. આસુરી અને ૫. સંમોહિની. આ પાંચ ભાવનાઓ પાપરૂપ છે. અને તેથી તે છોડવા જેવી છે. (જ્ઞાનાર્ણવ : સર્ગ-૪ : શ્લોક ૪૦,૪૧) તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવા માટે જે અનિવાર્ય ન હોય તોપણ ઈચ્છનીય હોય તેવી પાપ ભાવનાઓના અભાવને ગૌણ કારો કહી શકાય છે. આ પાપ ભાવનાઓ કાંદર્પી આદિ પાંચ પ્રકારની છે. આ પાપ ભાવનાઓ ધરાવનારનું ચિત્ત સંસારમાં લીન રહે છે. આવો જીવ વિષયકષાયસી વિરામ પામતો નથી. તેથી તેની પરિણતિ બહારમાં જ ભટકતી રહે છે. સામાન્યપણે જ આત્માર્થી જીવ આવી પાપ ભાવનાઓથી પર હોય છે. તોપણ અનાદિથી જીવમાં આવી ભાવનાઓ ઘર કરી ગઈ હોય તેનાં સંસ્કાર રહી જવા પામે છે. આવી પાપભાવનાના આછાપાતળા સંસ્કાર પણ નાબૂદ કરવા ઈચ્છનીય છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy