SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ જાણવામાં આવી. પરીક્ષાપૂર્વકના હૃઢ નિર્ણય અને ભાવનાભાસના કારણે પોતાને હું પરમાત્મા છું' તે પ્રકારની લાગણી કે અનુભવ થાય છે. આ પ્રકારના સંવેદનના પરિણામે પોતાનું પરમાત્મપણા સંબંધી શ્રદ્ધાન એકદમ મજબૂત બને છે અને તેથી ‘હુ પરમાત્મા છુ’ એવો સિદ્ધાંત હૃદયગત થાય છે. જેના પરિણામે સમ્યક્ત્વની પણ પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વ સહિતની સ્વાત્માનુભૂતિ એ નિર્વિકલ્પ સ્વસંવેદન છે. પણ સમ્યક્ત્વ પહેલાં પણ જે સંવેદન હોય છે તે સવિકલ્પદશાનું હોય છે. પૂજ્ય બહેનશ્રી ચંપાબેનને સમ્યગ્દર્શન પ્રાણ થયું તે અગાઉથી જ પોતાના પરમાત્મસ્વભાવનું આવું સવિકલ્પ સ્વસંવેદન રહ્યા કરતું હતું. આ સંવેદનના આધારે જ તેઓ સમ્યગ્દર્શન હવે કેટલું દૂર છે તે હાથ બતાવીને કહી શકતા હતા. પૂજ્ય બહેનશ્રીના કહેવા અનુસાર નિવિકલ્પ સંવેદન '{ક્સનલાઈટના પ્રકાશ જેવું ઝળહળતું હોય છે અને સવિકલ્પ સંવેદન કોડીયાના પ્રકાશ જેવું ઝાંખુ હોય છે, પણ સિદ્ધાંત સંબંધી આવા સવિકલ્પ સંવેદન વગર તે સિદ્ધાંત હૃદયગત થઈ શકતો નથી. પરમાત્મસ્વભાવની પ્રાપ્તિ માટે 'હુ પરમાત્મા છે. એ સિદ્ધાંતનું હૃદયગતપણું અનિવાર્ય છે. આવા હૃદયગતપણાં માટે તેનું સંવેદન જરૂરી હોય છે. ખરેખર આવા સંવેદનના કારણે જ આત્મપ્રાપ્તિની નજીક પહોંચી શકાય છે. આ બાબત પૂજ્ય બહેનશ્રી નીચેના શબ્દોમાં કહે છે — “આ રહ્યો હું સ્વભાવથી જ્ઞાાS (એટલે કે પરમાત્મા) એમાં ધુંબ સમાય જાય છે. હું શાશન છું, હું સાયક છું. હું સાયક છું. મેરૂપ નષ્ટ ચારરૂપ નહ પણ બૅનરૂપ પ્રત તે નક્કનું પાત્ર છે. કૃતકૃત્ય નામહના નપૂર્વક પર્યાયમાત્રન ઉપેક્ષા તે આત્માપ્તી માટેની પાત્રતા છે.” (પૂજ્ય બહેનશ્રીની તત્વચર્ચાના આધારે) ૧૩. હૃદયગતપણુ Consciousness સંવેદનપૂર્વક થતા આત્મસાપણાને હૃદયગતપણું કહે છે. ભાવભાસનના કારણે સંવેદન અને સંવેદનના કારણે આત્મસાપણું આવે છે. આત્મસાપણું એટલે કે તદ્દન પોતા જેવું, પોતે જ હોય તેવું કે પોતાની સાથે તન્મય કે એકરૂપ હોવું તે છે. કોઈ પણ સિદ્ધાંત આત્મસાત્ થતાં તે હ્રદયગત થયો એમ કહેવાય. હૃદયગતપણાના કારણે જે તે સિદ્ધાંત પોતાના હૃદયમાં કે અંતરમાં બરાબર બેઠેલોહોય છે. જે બાબત હૃદયગત હોય તે બાબત સંબંધી અન્યપણું યશાયોગ્યપણે પ્રતિભાસે છે. જેમ કે 'હું પોતાપણું, મારાપણું, કર્તાપણું, ભોક્તાપણું કે પરમાત્મા છું' એ સિદ્ધાંત હૃદયગત થતાં પોતે પોતાને પરમાત્મપર્ણ. પોતાના જ્ઞાનાદિ દશાનો પોતે કર્તાપણું, પોતાના અતીન્દ્રિય અનંતગુણોને મારાપણું, પોતાની વીતરાગીઆનંદનો પોતે ભોક્તાપર્વ, તેમજ શાનાવરણીયાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ અને શરીરાદિનો કર્મને અન્યપણે પ્રતિભાસે છે. જે સિદ્ધાંત હૃદયગત થયો હોય તે અનુસારનું તે આચરણ આપમેળે આવે છે અને આચરણના કારણે
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy