SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ તેના આધારે સીમંધર ભગવાનના હેતુમાં સાધ્યની વ્યાસિની સિદ્ધિ કરાવવામાં આવે છે. અને તે હેતુ વડે પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરાવતું અનુમાન કરાવવામાં આવે છે. તે ઉદાહરણ આ પ્રમાણે છે— પદાર્થની શુદ્ધ અવસ્થા હંમેશાં તેના ત્રિકાળ ધ્રુવ સ્વભાવના સ્વાશ્રય જ હોય છે. એટલે કે જ્યાં જ્યાં પ્રગટ અવસ્થા શુદ્ધ હોય ત્યાં ત્યાં તેનો અપ્રગટ સ્વભાવ પણ શુદ્ધ હોય જ છે. તેથી સીમંધર ભગવાનની શુદ્ધ પરમાત્મદશા તેમના અપ્રગટ શુદ્ધ પરમાત્મસ્વભાવ સાથે વ્યાતિ ધરાવનારી છે. ઉદાહરણ તરીકે સોનાની લગડી. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ઉપરોક્ત ઉદાહરણની વિશેષ સમજૂતી એ છે કે, અનેકાંતસ્વી પદાર્થની કોઈપણ પલટતી પર્યાય તેના ત્રિકાળ ધ્રુવ દ્રવ્યસ્વભાવ વિના હોતી નથી. અને તે જ રીતે દ્રવ્યસ્વભાવ પણ કોઈને કોઈ પર્યાય વિના હોતો નથી. તેમાં પદાર્થની જે પર્યાય અશુદ્ધ કે વિભાવરૂપે હોય છે તે હંમેશાં પરાશ્રય હોય છે, પરંતુ જે પર્યાય શુદ્ધ કે સ્વાભાવિક હોય છે તે હંમેશાં પોતાના ત્રિકાળ ધ્રુવ દ્વવ્યસ્વભાવના સ્વાશ્રયે જ હોય છે. સ્વાશ્રયે ઉત્પન્ન થતી પર્યાય પોતાના જેવી સ્વભાવ હોવાથી તે સ્વાભાવિક કહેવાય છે. સ્વાભાવિક પર્યાય શુદ્ધ હોવાથી તે તેના ત્રિકાળ ૧૧૫ છે. આત્મા માટે આવી શુદ્ધ અવસ્થા તે પરમાત્મદશા અને शुद्ध સ્વભાવ તે પરમાત્મસ્વભાવ છે. શુદ્ધ અવસ્થા જે પ્રગટ છે તે તેના અપ્રગટ શુદ્ધ સ્વભાવના જ આધારે હોવાસી તેની સાથે નિરપવાદ અચલ સાહચર્ય સંબંધ એટલે કે વ્યાધિ ધરાવે છે. આ રીતે સીમંઘર ભગવાનની પ્રગટ પરમાત્મદશા તેમના અપ્રગટ પરમાત્મસ્વભાવ સાથે વ્યાસિ ધરાવનારી છે. તેથી હેતુ એટલે કે સીમંધર ભગવાનની સાઘ્ય એટલે કે પરમાત્મસ્વભાવ સાથેની વ્યાપ્તિ સમજી શકાય છે. આ આ બાબતને વિશેષ સમજાવવા માટે સોનાનું દૃષ્ટાંત છે. સોનાના દૃષ્ટાંતના આધારે સીમંધર ભગવાનમાં પરમાત્મસ્વભાવની વ્યાપ્તિનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે, દૃષ્ટાંત-સિદ્ધાંતની આ પ્રકારની રજૂઆતને ઉદાહરણ કે ઉદાહરણ સહિતની વ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. જે આ પ્રમાણે છે— પથ્થર તરીકે હોય છે અને શુદ્ધિકરણની પ્રક્રિયાને દૃષ્ટાંત ઃ સોનાનું ખનિજ (Raw Gold) અશુદ્ધ અંતે તે જ પથ્થર શુદ્ધ સોનાની લગડી (Pure Gold) તરીકે હોય છે. જ દ્રવ્ય- ખનિજ પથ્થર અને લગડી એક જ જાતિના છે, તેમ હું અને સીમંધર ભગવાન એક સ્વભાવની શુદ્ધતાને જાતિના છીએ. લગડીમાં સોનાની વ્યામિ છે, તેમ સીમંધર ભગવાનમાં જ દર્શાવનારી હોય પરમાત્મસ્વભાવની વ્યામિ છે.તેથી જેમ ખનિજ પથ્થર પણ સોનાની જાતિનો છે, તેમ હું પણ પરમાત્મસ્વભાવી છું, તે દર્શાવતું ચિત્ર. આ કારણે જાતિ કે સ્વભાવ અર્પતાએ ખનિજ પથ્થર (Raw Gold) અને સોનાની લગડી (Pure Gold) એક જ સોનાના સ્વભાવે છે. તેથી ખનિજ પથ્થરમાં પણ સોનાની જાતિની હાજરી છે. સોનાની લગડી એ સો ટચની શુદ્ધ અવસ્થા છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy