SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ હેતુ પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ ૩. ઉદાહરણ હેતુની સાઘ્ય સાથેની ર્યાપ્ત દર્શાવવા માટે કોઈ દૃષ્ટ થર્મ હોય કે જે વાદીદી અને પ્રતિવાદી બન્નેને સંમત હોય તે દૃષ્ટાંત છે. દૃષ્ટાંત અને તે દ્વાવ્ર તાવેલા સિદ્ધાંતના ક્યનના પ્રયોગને ઉદ્ઘા કહે છે. પક્ષ . સીમંધર ભગવાન આપણાં પ્રસ્તુત સિદ્ધાંત માટે ‘હુ એ પક્ષ છે, હેતુમાં સાધ્યની વ્યાપ્તિ સાધ્ય ‘સીમંધર ભગવાન' એ હેતુ છે અને પરમાત્મ સ્વભાવ' એ સાધ્ય છે. પરમાત્મસ્વભાવ પક્ષમાં હેતુની હાજરી અને હેતુમાં સાધ્યની વ્યાતિના આધાર પક્ષમાં સાધ્યની હાજરીનું અનુમાન થઈ શકે છે. અહીં પક્ષ એટલે કે 'હું'માં સાધ્ય એટલે કે પરમાત્મસ્વભાવની ઉપસ્થિતિ છે, તેનો હેતુ એટલે કે ‘સીમંધરભગવાન”ના આધારે અનુમાન થઈ શકે છે. હું પોતે પ્રગટ પર્યાયદશાએ પામરદાપર્ણ હોવા છતાં અપ્રગટ દ્રવ્યસ્વભાવ પરમાત્મસ્વભાવે છે. આ પ્રમાણે અનુમાનક્રિયામાં હેતુ વડે સાધ્યની સિદ્ધિ કરવામાં આવે છે. આ માટે પક્ષમાં હેતુની હાજરી અને હેતુમાં સાધ્યની વ્યાપ્તિ સમજવી જરૂરી છે, પામરદશા અને પરમાત્મસ્વભાવ બને એક જ સાથે હોવા છતાં મારે મારી ઓળખાણ અને સ્વીકાર પરમાત્મસ્વભાવપણે જ કરવો યોગ્ય છે. એટલે કે 'હું પરમાત્મા છું' એવો જ સ્વીકાર યોગ્ય છે. આ રીતે ‘કારણ કે, હું સીમંધર ભગવાનની જાતિનો છું' એ હેતુ વડે ‘હું પરમાત્મા છું’ એ પ્રતિજ્ઞા વાક્યના સિદ્ધાંતની સિદ્ધિ અનુમાનક્રિયાના આધારે થાય છે, સૌ પ્રથમ '' અને 'સીમંધર ભગવાન' એક જ આત્મદ્રવ્યની જાતિના છીએ. તેથી પક્ષમાં હેતુની હાજરી છે તે સમજી શકાય છે. પક્ષમાં હેતુની હાજરી સમજ્યા પછી હેતુની સાધ્ય સાથેની વ્યામિ સમજવી જરૂરી હોય છે. એટલે કે સીમંધર ભગવાનમાં પરમાત્મસ્વભાવની વ્યાતિ છે તે બાબત સમજવી જરૂરી છે. આ બન્ને બાબત સમજી શકાતી હોય તો ઉદાહરણની કોઈ આવશ્યકતા નથી. પરંતુ સીમંધર ભગવાન વર્તમાનમાં વિહરમાન હોવા છતાં તે દૂરના ક્ષેત્રમાં છે અને અહીં બેઠા આપણે તેને પ્રત્યક્ષ જોઈ શક્તા નથી. તેથી સીમંધર ભગવાનમાં પરમાત્મ સ્વભાવની વ્યાપ્તિ છે તે સમજાવવા ઉદાહરણની આવશ્યકતા રહે છે. હેતુમાં સાધ્યની વ્યાપ્તિ સમજાવવા માટે આ ઉદાહરણ હોવાથી તેને કારસ સહિતની વ્યાણના નામે પણ ઓળખવામાં આવે છે. આપણા વિષયભૂત સિદ્ધાંત માટે ઉદાહરણ તરીકે સોનાની લગડી
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy