________________
જ્ઞાનમંજરી
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ
૮૭૯
જે ભવઅટવીમાં અનાદિકાળથી આ જીવ રખડતો હતો, તે અટવી કેવી છે ? તે ભવઅટવીનું સ્વરૂપ નીચે મુજબ સાત વિશેષણોથી જણાવે છે.
(१) विषमरोगशोकादिकण्टकाकुलायाम् = જેમ અટવી કાંટા-કાંકરા વગેરેથી ભરપૂર ભરેલી હોય છે, તેમ આ ભવ અટવી ભયંકર રોગ અને શોક વગેરે દુઃખો રૂપી
કાંટાઓથી ભરેલી છે.
-
(૨) અન્તરાયોવવાનવ્યાહાર યિોતિતાપતપ્તાયામ્ - પૂર્વે બાંધેલા અંતરાય કર્મના ઉદયથી નથી પ્રાપ્ત થયો આહારાદિનો યોગ જેને એવા આ જીવનાં અતિ-ઉદ્વેગ અને દ્વેષનાં દુઃખો રૂપી તાપથી તપેલી આ ભવ અટવી છે. એટલે કે અપ્રાપ્ત આહારાદિના યોગને કારણે અતિના તાપથી તપેલી ભૂમિવાળી આ ભવઅટવી છે.
(3) महाव्यसनसहस्त्रसिंहव्याघ्रव्याप्तायाम् મોટાં મોટાં દુઃખો રૂપી હજારોની સંખ્યામાં સિંહ અને વાઘ વગેરે હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત આ અટવી છે. અટવીમાં જેમ હજારો સિંહ અને વાઘ, વરૂ, સર્પ આદિ હિંસક પ્રાણીઓ હોય છે તેનાથી અટવી દુઃખદાયી થાય છે તેમ આ ભવઅટવી પણ જલોદર, કેન્સર, ટીબી, ડાયાબીટીશ આદિ મહાદુઃખો, પતિનો વિયોગ, પત્નીનો વિયોગ, પુત્રનો વિયોગ, ધનનો વિયોગ ઈત્યાદિ હજારો દુઃખોથી ભરપૂર ભરેલી છે.
=
(૪) પ્રાવયનિવૃત્તુપટાધાટીદુદ્વાર નિંતીપળાયામ્ – ખોટું તત્ત્વ સમજાવનારા મિથ્યાત્વી કુગુરુઓ રૂપી લુંટારાઓની ધાડના હુંકારાવાળા ભારે શબ્દોની ગર્જનાથી ભયંકર બનેલી આ અટવી છે. જેમ અટવીમાં લુંટારાઓની ધાડ પડે અને “લૂંટો-લુંટો, મારોમારો” ના અવાજોથી આખી અટવી ભરી દે છે તેમ આ ભવ અટવી પણ કુગુરુઓની મિથ્યાવાણી દ્વારા જ્યાં ત્યાં આત્મ-ધન લુંટાઈ રહ્યું છે. કોઈ બચાવવાને સમર્થ નથી એવી આ ભવાટવી છે.
(૫) વૈવવેતાનત્રાસિતાયામ્ - મિથ્યાર્દષ્ટિ દેવો રૂપી રાક્ષસો વડે ત્રાસ પામેલી આ ભવઅટવી છે. જેમ કોઈ અટવીમાં રાક્ષસોનો ઘણો ત્રાસ હોય તેમ આ ભવઅટવીમાં મિથ્યાર્દષ્ટિ દેવો સામાન્ય પ્રજાને અનેક જાતની પીડા કરે છે એવી આ ભવાટવી છે.
इन्द्रियविषयसुखबुद्धिलक्षणभ्रान्तिमरुमरुचिकाभूमिभूतायाम्
(६) પાંચ ઈન્દ્રિયોનાં વિષય-સુખો ભોગવવાની બુદ્ધિ સ્વરૂપ ભ્રાન્તિ ઉત્પન્ન કરનારી, ઝાંઝવાના જળની ભૂમિ જેવી ભૂમિ છે જે અટવીમાં, તેવી આ ભવાટવી છે, અર્થાત્ અટવીમાં જેમ ઝાંઝવાના જળનો ભ્રમ માત્ર થાય, પણ ત્યાં જઈએ તો પાણી મળે નહીં, તેમ ભવાટવીમાં વિષયસુખોની
=