________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૫૫
અનંતભાગાધિક વિશુદ્ધિવાળાં છે. તેને એક કંડક કહેવાય છે. આવા ઘણાં કંડક આવવાનાં છે. તેથી આ કંડકને પ્રથમ કંડક કહેવાય છે અને તેનું નામ “અનંતભાગાધિક વિશુદ્ધિ” વાળું આ પ્રથમ કંડક થયું એમ જાણવું. આ વાતને બરાબર સમજવા માટે “અંગુલના
અસંખ્યાતમા ભાગમાં રહેલી આકાશપ્રદેશની રાશિને એટલે કે કંડકને અસત્કલ્પનાએ ૪ તરીકે કલ્પના કરીને હમણાં આપણે વિચારીશું.
તતઃ પરમ્ = ત્યાર બાદ અર્થાત્ અનંતભાગની વિશુદ્ધિવાળું એક કંડક સમાપ્ત થયા પછી જે સંયમસ્થાન આવે છે. તેમાં વિશુદ્ધિ ક્ષયોપશમ, પૂર્વના સંયમસ્થાન કરતાં “અસંખ્યાતભાગ” અધિક હોય છે. જેમ અનન્તભાગ અધિક વિશુદ્ધિનું એક કંડક થયું. તેમ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિનું પણ કંડક થવાનું છે તેનું આ પ્રથમસ્થાન જાણવું. એટલે કે અનંતભાગાધિક વિશુદ્ધિના કંડક પછીનું અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું જે સંયમસ્થાન આવે છે તે સંયમસ્થાન અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિનું જે કંડક થવાનું છે તેનું પ્રથમ સ્થાન છે આમ સમજવું. સારાંશ કે અનંતભાગ અધિકના પ્રથમકંડકના ચરમ સંયમસ્થાનમાં ચારિત્રમોહનીયના ક્ષયોપશમના જેટલા વિભાગો છે તેના કરતાં તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા વિભાગો થાય તેટલા અધિક ક્ષયોપશમના અંશવાળા વિભાગો તેના પછીના સંયમસ્થાનમાં હોય છે. તેથી તે સંયમસ્થાનને “અસંખ્યાતભાગ અધિક સંયમસ્થાન” કહેવાય છે. તે સંયમસ્થાન અસંખ્યાતભાગ અધિક એવા નામવાળું હવે જે કંડક થવાનું છે તેનું પ્રથમ સંયમસ્થાન છે. આ વાતને બરાબર સમજવા માટે નીચે મુજબ કલ્પના કરવામાં આવે છે.
અનંતભાગ અધિક એટલે
અસંખ્યાતભાગ અધિક એટલે સંખ્યાતભાગ અધિક એટલે સંખ્યાતગુણ અધિક એટલે અસંખ્યાતગુણ અધિક એટલે અનંતગુણ અધિક એટલે
=
૦
૧
૩
૪ અને
૫
૧ થી ૪ (કંડક પ્રમાણ) સંયમસ્થાનો અનંતભાગાધિક છે. ત્યારપછીનું સંયમસ્થાન એટલે કે પાંચમું સંયમસ્થાન અસંખ્યાત ભાગાધિક છે. માટે ૦૦૦૦૧ આવી આકૃતિ થઈ. ततः असङ्ख्येयानि स्थानानि अनन्तभागवृद्धिरूपाणि = ત્યારબાદ અનંતભાગ અધિક-અનંતભાગ અધિક વિશુદ્ધિવાળાં સંયમસ્થાનો અસંખ્યાતાં કહેવાં એટલે કે અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિ પ્રમાણ કહેવાં, અર્થાત્ અનંતભાગાધિકનું એક કંડક કહેવું.