________________
૮૩૨ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર જેમકે પડિલેહણ-પ્રતિક્રમણ-દેવવંદન ઈત્યાદિ ધર્મક્રિયાઓનું આચરણ પ્રથમાવસ્થામાં મુનિઓને કર્તવ્ય હોય છે તેથી તે તે કાર્ય કરવું જોઈએ. આ વાક્ય પ્રથમાવસ્થામાં પ્રમાણ ગણાય છે. પરંતુ અનેક પ્રકારના ગુણોની વૃદ્ધિ થઈ હોય અને ઉચ્ચતર ધ્યાનદશામાં આરૂઢ થયા હોય ત્યારે તે તે ધર્મક્રિયાઓનું આચરણ ધ્યાનાદિ-ઉચ્ચતરદશાનું બાધક હોવાથી “કરવું જોઈએ” આ વાક્ય ત્યાં અપ્રમાણ બને છે જેમકે બાહુબલિજી મુનિ તથા તીર્થંકરભગવંતો દીક્ષિતાવસ્થામાં ધ્યાનસ્થ હોય છે ત્યારે ઉચ્ચતર દશા હોવાથી આપણા જેવા સામાન્ય માણસોની જેમ આચરણ તેઓનું હોતું નથી. ગૃહસ્થપણામાં દાન કર્તવ્ય હોય છે તે જ ગૃહસ્થ જ્યારે સાધુ થાય ત્યારે સાધુપણામાં પૌલિકદાન અકર્તવ્ય થાય છે. કારણ કે જો સાધુપણામાં પૌલિક-દાન ચાલુ રાખે તો સંગ્રહ ચાલુ જ રહે, જે સાધુપણાની સાથે બાધક છે. આમ અનેક ઉદાહરણથી આ વાત સમજાય તેમ છે કે વિવક્ષા વિનાનું વાક્ય પ્રમાણ કે અપ્રમાણ ગણાતું નથી.
વષ્યનેષvયાવિ = એવી જ રીતે અષણીય આહારાદિ (આધાકર્મી આદિ દોષો વાળો એટલે કે સાધુને ન કલ્પે તેવો આહાર વગેરે) પૂર્વકાલમાં એટલે સામાન્ય સાધુને લેવો કલ્પ નહીં, એટલે આવો દોષિત આહાર ગ્રહણ કરવો તે અપ્રમાણ કહેવાય પરંતુ ગીતાર્થ મુનિ હોય અને આદિ શબ્દથી માંદા મુનિ હોય રોગ મુનિ હોય ઈત્યાદિ કારણવિશેષ હોય તો રાગાદિ દોષો લાગે તેમ નથી, આસક્તિ થાય તેમ નથી માટે તેવા ગીતાર્યાદિ મુનિઓને આવા કારણે અનેષણીય આહારાદિનું ગ્રહણ અપ્રમાણ ન ગણાય પણ પ્રમાણ ગણાય. ભગવતીજી સૂત્રની ટીકામાં પણ આમ જ લખ્યું છે. ત્યાંની ગાથા આ પ્રમાણે છે.
“સમસ્ત ગણિપિટક (દ્વાદશાંગી)નો સાર જેઓએ હસ્તગત કર્યો છે એવા ઋષિમુનિઓનું આ જ પરમ રહસ્ય (પરમ માહાભ્ય) છે કે નિશ્ચયનયનું અવલંબન લેનારા મહાત્માઓને “ચિત્તનો શુદ્ધ-અશુદ્ધ પરિણામ” એ જ પ્રમાણ કહેવાય છે બાહ્ય શુદ્ધિ-અશુદ્ધિ તેઓને સ્પર્શતી નથી “અશુદ્ધ આહાર પણ ગીતાર્થોને શુદ્ધિનું કારણ બને છે અને શુદ્ધ આહાર પણ સામાન્ય મુનિઓને આસક્તિનું કારણ બને તેવો સંભવ હોવાથી અશુદ્ધિનું કારણ બને છે. આ ગાથા પંચવસ્તુપ્રકરણમાં પણ છે . ૬૦૨, તથા ઓઘનિર્યુક્તિમાં પણ છે ૭૬૧. - પંચવસ્તુકપ્રકરણ નામના ગ્રંથની ટીકામાં પણ પક્ષUTHI તUTયો ઈત્યાદિ પાઠથી આ જ હકીકત કહી છે. વિશેષ પાઠ તથા તેના અર્થ ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.