________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૧ અને ઉપવાસાદિ કરવાં એ જ કલ્યાણપ્રાપ્તિનો સાચો રાજમાર્ગ છે શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે – “સુખપૂર્વક કર્મો ખપાવવાપણું અલ્પ જીવોમાં જ હોય છે, સર્વમાં નહીં, તેથી આતાપના આદિ કરવાં એ જ મુનિઓ માટે ઉચિત માર્ગ છે.”
હવે નિક્ષેપ અને નયોની વ્યાખ્યા કહેવાય છે. પૂર્વે નિપા સમજાવ્યા છે તેને અનુસાર નામતપ અને સ્થાનતપ સુગમ છે માટે સ્વયં સમજી લેવું. આહારાદિ પદ્ગલિક પદાર્થોનો જે ત્યાગ કરવો તે દ્રવ્યતા. વિષય અને કષાયોની વાસના છોડીને શુદ્ધ એવા આત્મતત્ત્વના સ્વરૂપમાં જ એકાગ્ર થવું, વિભાવદશા ત્યજી સ્વભાવદશામાં જોડાવું તે ભાવતપ કહેવાય છે. અહીં ભાવતપ અત્યન્ત ઉપકારક છે. એ વાત સાચી છે. પરંતુ તે ભાવતપ દ્રવ્યતપ પૂર્વકનો હોવો જરૂરી છે. દ્રવ્યતા વિના કેવળ એકલા ભાવતપની વાત સર્વ જીવો માટે રાજમાર્ગરૂપ નથી. તેથી અહીં આત્મતત્ત્વની સાધના અને આરાધનામાં દ્રવ્યતપ પૂર્વક ભાવતપનું ગ્રહણ કરવું. કેવળ એકલા ભાવતપને પ્રધાન કરીને દ્રવ્યતાનો અપલાપ કરવો તે ઉચિત નથી. (૧) કર્મનિર્જરા માટેનો આત્મસંકલ્પ એ નૈગમનયથી તપ. (૨) પૌગલિક સુખ-નિરપેક્ષ મન અને ઉપવાસાદિ માટે સમર્થ શરીર એ સંગ્રહાયથી
તપ. (૩) ઉપવાસ વગેરે કરવા તે વ્યવહારનયથી તપ. (૪) કર્મનિર્જરાનું ચિંતન એ ઋજુસૂત્રનયથી તપ. (૫) કર્મનિર્જરા કરવા દ્વારા જ્ઞાનાદિ ગુણોના પ્રાકટ્ય વડે તે ગુણોની કંઈક અનુભૂતિ
થવી તે શબ્દનયથી તપ. (૯) છ માસી તપ આદિની યોગ્યતાવાળા જીવનો કર્મનિર્જરા દ્વારા જ્ઞાનાદિ ગુણોનો
વિશુદ્ધતરપણે અનુભવ થવો એ સમભિરૂઢનયથી તપ. (૭) ઉત્કૃષ્ટ તપસ્વીને ઉત્કૃષ્ટ નિર્જરા-જનિત જ્ઞાનાદિ ગુણોની પૂર્ણપણે જે અનુભૂતિ થવી
એ એવંભૂતનયથી તપ. ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात्तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥१॥ ગાથાર્થ :- જ્ઞાન જ કર્મોને તપાવનાર હોવાથી યથાર્થ તપ છે એમ પંડિત પુરુષો કહે