________________
ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર રૂપી પરમાત્માની પૂજા કર. હવે જેમ પરમાત્માની દ્રવ્યપૂજા કરવામાં કેસરથી મિશ્રિત ચંદનને ઘસીને કરેલો ચંદનનો રસ (અર્થાત્ કેસરમિશ્રિત ચંદનનો ઘોળ-પ્રવાહી રસ) વપરાય છે. તેના વડે ભગવાનની પૂજા કરાય છે તેમ અહીં ભક્તિથી મિશ્રિત શ્રદ્ધાળુણ વડે તું આત્માની પૂજા કર. ભક્તિ એટલે પરમાત્મા એ જ પૂજ્ય છે. અનંતગુણી આત્મા જ આરાધ્ય છે. આવા પ્રકારની પૂજ્યતાની-આરાધ્યતાની જે બુદ્ધિ છે તે ભક્તિ સમજવી અને પ્રતીતિવિશ્વાસ-પ્રેમ તેને શ્રદ્ધા કહેવાય છે.
પરમાત્માનાં વચનો ઉપર અત્યન્ત વિશ્વાસ, અત્યંત પ્રેમ “ભગવાને કહેલો જે અર્થ છે એ જ સાચો અર્થ છે એ જ પરમાર્થ છે” આવો પાકો દૃઢ નિર્ણય તે શ્રદ્ધા, આમ ભક્તિ અને શ્રદ્ધા અને સાથે રાખીને તું પૂજા કર, જેમ કેસર અને ચંદન સાથે રાખીને દ્રવ્ય પૂજા થાય છે. એટલે કે (ઘુસૂણ) કેસર અને તેનાથી મિશ્ર કરેલો (પાટીરજ) ચંદનનો ઘોળ (ચંદનનો રસ), તેના વડે જેમ દ્રવ્યપૂજા થાય છે તેમ ભક્તિ અને શ્રદ્ધાના મિલનપૂર્વક તારો પોતાનો જે શુદ્ધ આત્મા છે, જે પરમેશ્વર છે, પોતાનો જે આત્મા છે તે દેવ છે, કારણ કે તે આત્મા પોતાના શુદ્ધ-બુદ્ધ-નિર્મળ સ્વરૂપમાં દીપે છે માટે દેવ છે. આત્મા એ જ સાચો દેવ છે. તેવા પરમાત્માસ્વરૂપ-દેવસ્વરૂપ એવા તારા પોતાના જ આત્માની તું પૂજા કર. પરમાત્માની ભક્તિ કરવાના બહાને તારા પોતાના અનંતગુણી આત્માને ઓળખવાનો અને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર. ૧-રા
अथ अनुक्रमेण पूजाप्रकारानाहक्षमापुष्पस्रजं धर्म-युग्मक्षौमद्वयं तथा । ध्यानाभरणसारं च, तदङ्गे विनिवेशय ॥३॥
ગાથાર્થ :- આત્મા રૂપી પરમાત્માના અંગ ઉપર પોતાનામાં ક્ષમા ગુણ લાવવા રૂપી પુષ્પની માલાને, દેશવિરતિ-સર્વવિરતિ એમ બે પ્રકારનો ધર્મ લાવવા રૂપી બે વસ્ત્રોને અને ધ્યાન ધરવા રૂપી શ્રેષ્ઠ આભરણને તું સ્થાપન કર. ૩
ટીકા - “ક્ષમાપુપ્રગમિતિ” ભવ્ય ! તવ-આત્મસ્વરૂપરૂપે મફે માં-क्रोधोपशमवचनधर्मक्षमारूपाम्, स्रजं-पुष्पमालाम्, विनिवेशय-स्थापय । तथातथैव धर्मयुग्मं-श्रावकसाधुरूपं श्रुतचारित्ररूपं वा क्षौमवस्त्रद्वयं निवेशय । च-पुनः, ध्याने-धर्मशुक्ले, ते एव आभरणस्य सारं-प्रधानम्, परमब्रह्मणि निवेशय । इत्येवं गुणपरिणमनरूपां पूजां कुरु ॥३॥