________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ ગૃહસ્થાદિ અન્ય સંસારી જીવોની રાગાદિ ભાવપૂર્વક વીર્યપ્રવૃત્તિ હોવાથી તે આત્મા કર્મબંધનો કર્તા થાય છે. આમ અહીં આ મહાત્મા પુરૂષોની અનભિસન્ધિજ વીર્યપૂર્વક પ્રવૃત્તિ છે. માટે કર્મોનો અકર્તા છે. અભિસન્ધિજ વીર્યપૂર્વક પ્રવૃત્તિ સ્વગુણોમાં જ છે. માટે આ મહાત્મા સ્વગુણોના જ કર્તા છે. જ્યાં અભિસંધિજ વીર્યપ્રવૃત્તિ હોય છે તેના જ કર્તુત્વનો વ્યવહાર થાય છે.
૩થવા - આવા પ્રકારની સિદ્ધત્વદશાના આસ્વાદના આનંદમાં મગ્ન બનેલા મહાત્માઓનો ઉપયોગ સ્વગુણરમણતામાં જ હોવાથી કાયાથી પરભાવનું કાર્ય કરે છે પરંતુ તેમાં રમણતા ન હોવાથી તેવા પ્રકારના પરભાવનું કર્તાપણું નથી.
થવી – સમ્યગ્દર્શનાદિ આત્માના શુદ્ધ ગુણોની પ્રાપ્તિ થયે છતે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવાથી પોતાના શુદ્ધ સ્વરૂપને જ અનુસરનારી પોતાની શક્તિનો વપરાશ કરનારા બનવાથી આત્માને પરભાવનું કર્તૃત્વ સંભવતું નથી. માત્ર જ્ઞાનસ્વભાવી આત્મા હોવાથી “જ્ઞાયકત્વ” ધર્મ જ ઘટે છે. આ રીતે આત્મસ્વરૂપમાં જ રસિક એવા મહાત્મા પુરુષોને સર્વે પણ સ્વ-પરભાવોનું જ્ઞાયકત્વ હોય છે. પરંતુ કર્તૃત્વ તો ફક્ત પોતાના શુદ્ધ ગુણોમાં પરિણામ પામવા રૂપ સ્વભાવોનું જ એટલે કે પોતાના પારિણામિકભાવનું જ હોય છે.
ઉપરોક્ત ચર્ચાથી તત્ત્વ સમજ્યા બાદ પોતાના આત્માને એકાન્તમાં સ્થાપન કરીને યથાર્થ ચિંતન-મનન કરવા દ્વારા સ્થિર કરીને અનાદિકાલથી મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયજન્ય બ્રાન્તભાવે રહેલ પરભાવના કર્તૃત્વ-ભોક્નત્વ અને ગ્રાહકત્વ વગેરે મલીન ભાવોને દૂર કરવા જોઈએ અને આત્માના શુદ્ધ સ્વરૂપના જ અખંડ-અમૂલ્ય આનંદનું જ કસ્તૃત્વ-ભોક્નત્વ અને ગ્રાહકવાદિ પ્રાપ્ત કરવું જોઈએ. મોહજન્ય પરભાવના કર્તુત્વાદિને ત્યજીને સ્વભાવના જ કર્તુત્વને સ્વીકારવું જોઈએ. જ્ઞાનપ્રાપ્તિનો આ જ સાર છે. I all
परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ॥४॥
ગાથાર્થ :- પરમ બ્રહ્માત્મક આત્મસ્વરૂપમાં મગ્ન એવા આત્માને પુદ્ગલના સુખની વાર્તા પણ નિરસ હોય છે. તો પછી સોનાની રાશિને ગ્રહણ કરવા રૂપ અને તેનાથી થતા ઉન્માદો કેમ હોય ? તથા દેદીપ્યમાન એવા સ્ત્રીસંબંધી હાવભાવ જોવાના પણ કેમ હોય ?
ટીકા :- પરબ્રાતિ-પરબ્રહ્મા-પરમાત્મનિ ની તન્મયી, સ્વરૂપ