SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮ ૭૫૫ ગાથાર્થ :- “પરમાત્મામાં અર્પણ થવાપણું” એવું બ્રહ્માર્પણ પણ જ્ઞાનયજ્ઞના જ એક અંતર્ભાવનું સાધન છે. માટે કરેલા ક્રિયાનુષ્ઠાનનો “મેં આ કર્યું, મેં આ કર્યું એવા સ્વકતૃત્વના અભિમાનના જ્ઞાનનો અગ્નિમાં હોમ કરવો એ જ ઉચિત અને યોગ્ય માર્ગ છે. ૬ll ટીકા :- “વ્રાઈમ બ્રાં તિ” માં વિન્ ! યદિ વં દ્રઢાઈમાં સર્વ स्वकृतं ब्रह्मणि-परमेश्वरे यदर्पणं-प्रयच्छनं (प्रदानं ) तत्रैवारोपणम् । एतत्सर्वं परमेश्वरकृतं जातं मत्कृतं न किञ्चनेति धीरिति यावत् । तद् ब्रह्मयज्ञान्तर्भावसाधनं ब्रह्मयज्ञो-ज्ञानयज्ञस्तस्य योऽन्तर्भावः-आत्मीयभावफलप्राप्तिस्वीकारस्तस्य साधनं-तन्निष्पादकत्वकारणं मन्यसे । यद्वा तत्फलमिच्छसि, तर्हि त्वं तत्कृते स्वकृतत्वसमये स्वस्य जीवस्य यत्कृतं निर्मितं कर्म तद्भावस्तत्त्वं तद्रूपो यः स्मयोऽहङ्कारस्तस्मिन् निमित्तभूते हूते हूतमग्नौ प्रक्षेपणं मया निर्मितमिति अहङ्कारहोमनिमित्त इति यावत् । कर्मणो-ज्ञानावरणादिकस्य, ब्रह्माग्नौ-ब्रह्म-शुद्धतीव्रोपयोगिज्ञानं निराशंसतपश्च तद्पो योऽग्निरूज़ गच्छतीति व्युत्पत्तिमत्तेजस्तस्मिन् आहुतिकरणं युक्तं-घटमानं, न तु पश्वादेरित्यर्थः ॥६॥ વિવેચન :- હે વિદ્વાન ! મેં જે કંઈ કર્યું છે તે મારું નથી, બ્રહ્માનું છે - પરમાત્માનું છે” આમ સમજીને પોતાનું કરેલું કાર્ય-સર્વ ધર્મ અનુષ્ઠાન જો તું બ્રહ્માને એટલે કે પરમાત્માને અર્પણ કરવા માગતો હોય અર્થાત્ તારા વડે કરાયેલાં સઘળાં પણ સુકૃત્યો જો તું પરમાત્માના ચરણે સમર્પિત કરવા ઈચ્છતો હોય તો, તારું કરાયેલું સર્વ ધર્માચરણ એ પરમાત્માના ચરણે સમર્પિત કરવા-ભેટ ધરવા કરાયું છે, પણ મારા પોતાના માટે કરાયું નથી આવી જો તારી બુદ્ધિ હોય તો હે વિદ્વાન પુરુષ! આ બ્રહ્માર્પણ પણ જ્ઞાનયજ્ઞના અંતર્ભાવનું સાધન બને તેમ તું કર. સારાંશ કે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થવા રૂપ ભાવફળની પ્રાપ્તિનું કારણ બને એવો યજ્ઞ કર, પરમાત્મા તો શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર જ છે. તેને કોઈ વસ્તુની જરૂર નથી. પશુની હિંસા અને પશુના હોમની અને તેના દ્વારા કરાતા હિંસાત્મક યજ્ઞની પરમાત્માને કંઈ જરૂર નથી. પરમાત્મા કોઈ પણ વસ્તુના ભુખ્યા નથી. તારા વડે કરાયેલું ધર્મ અનુષ્ઠાન જો તું પરમાત્માને સમર્પિત કરવા ઈચ્છતો જ હોય તો આવા પ્રકારનાં પશુ-માંસાદિનો હોમ ન કર. પણ “આ મેં કર્યું છે આ મેં કર્યું છે” આવા પ્રકારનું જે અભિમાન છે, અહંકાર છે, કષાયો છે તેનો તું જ્ઞાન-અગ્નિમાં હોમ કર. તે સાચું બ્રહ્માર્પણ છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy