________________
૭૨૪
યોગાષ્ટક- ૨૭
જ્ઞાનસાર इच्छा तद्वत्कथाप्रीतिः, प्रवृत्तिः पालनं परम् । स्थैर्य बाधकभीहानिः, सिद्धिरन्यार्थसाधनम् ॥४॥
ગાથાર્થ :- પાંચ પ્રકારના યોગવાળા મહાત્મા પુરુષોના ગુણગાન ગાવામાં પ્રીતિ તે ઈચ્છા, યોગોનું યથાર્થપણે ઉત્કૃષ્ટ રીતિએ પાલન થવું તે પ્રવૃત્તિ, બાધક એવા અશુદ્ધ અધ્યવસાયો આવવાનો જે ભય, તેનો અભાવ કરવો તે સ્થિરતા, અને શુદ્ધ દશાની પ્રાપ્તિ થવી અને પરોપકાર કરવો તે સિદ્ધિ જાણવી. II૪ો.
ટીકા :- “છી તિિત” રૂચ્છ-સાધવાવામિનાપ: તત્ યાગ્નિ પુ विद्यन्ते ते तद्वन्तः श्रमणाः, तेषां कथासु-गुणकथनादिषु प्रीतिः-इष्टता । उक्तञ्च મિપૂર્વે: –
તનુત્તન્નપરૂંફ, સંથી વિપરિણામ રૂછી 1 રૂરિ
વિવેચન :- સ્થાનયોગાદિ એક-એક યોગના ઈચ્છાદિ ચાર-ચાર ભેદો છે. ત્યાં પ્રથમ ઈચ્છા કોને કહેવાય ? તે સમજાવે છે. ઈચ્છા એટલે આત્મતત્ત્વની સાધના કરનારા સાધકની આત્મતત્ત્વ સાધવાના ભાવની તીવ્ર અભિલાષા તેને ઈચ્છા કહેવાય છે. સારાંશ કે આ પાંચે યોગો જે મહાત્મા પુરુષોમાં વિકસ્યા છે, ફાલ્યા-ફુલ્યા છે. એવા પ્રકારની યોગદશાને પામી ચુકેલા જે શ્રમણમુનિઓ આ સંસારમાં છે તે મહાત્માઓનાં ચરિત્રો સાંભળવામાં, ચરિત્રો કહેવામાં, તેઓના ગુણગાન અને કથા આદિ કરવામાં હાર્દિક જે પ્રીતિ, ચરિત્ર કહેવાનો ઉમંગ, ગુણ ગાવામાં હર્ષોલ્લાસ તે ઈચ્છાયોગ જાણવો. જે માણસને જેની જેની ઈચ્છા થાય છે તે માણસ તેનું જ વર્ણન કરતો હોય છે. તેનાં જ ગાણાં ગાતો હોય છે. એમ જેને યોગપ્રાપ્તિની ઈચ્છા થઈ તે નિરંતર યોગીઓની કથામાં જ રસ ધરાવે. આ ઈચ્છાયોગ જાણવો. શ્રી યોગવિંશિકા ગાથા પાંચમીના પૂર્વાર્ધમાં પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. આ પ્રમાણે કહે છે કે –
“તે યોગદશાથી યુક્ત એવા મહાત્મા પુરુષોની કથા કરવાની પ્રીતિથી યુક્ત અને આત્મામાં યોગદશા માટેની વિશેષ પરિણામ પામનારી જે તીવ્ર મહેચ્છા તેને ઈચ્છાયોગ કહેવાય છે.”
तस्य सम्यग्दर्शनादिगुणवृद्धिहेतुभूतं क्रियाश्रुताभ्यासपालनं परं, परा उत्कृष्टा सा प्रवृत्तिः । उक्तञ्च
"सव्वत्थुवसमसारं, तप्पालणमो पवत्ती उ ॥५॥ इति