________________
૬૯)
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર चिन्मात्रदीपको गच्छेन्निर्वातस्थानसन्निभैः । निष्परिग्रहता स्थैर्य, धर्मोपकरणैरपि ॥७॥
ગાથાર્થ :- જ્ઞાન માત્ર રૂપ દીપક સમાન અપ્રમત્ત મુનિ નિર્વાત સ્થાનની તુલ્ય ધર્મનાં ઉપકરણો રાખે તો પણ નિષ્પરિગ્રહતા રૂપી ધર્મની સ્થિરતાને પામે છે. તે
ટીકા :- “ન્મિતિ” અપ્રમત્તસાધુઃ રિમૈત્રીપ:-જ્ઞાનમત્રી પ્રવી: गच्छेद्-लभेत, कैः ? निर्वातस्थानसन्निभैः-पवनप्रेरणारहितस्थानसंयोगैः । यथा ज्ञानदीपकस्य "स्थैर्यं"-स्थिरत्वं, निष्परिग्रहता-परिग्रहाभाव एव साधयति । इत्युपदिष्टे कश्चिद् धर्मोपकरणस्यापि परिग्रहत्वं जानन् तत्परिहाराय यतते । अतो धर्मोपकरणैरपि स्थैर्यं वर्धते । इति धर्मसङ्ग्रहण्यां सर्वमप्युक्तम् (गाथा-१०२८-१०२९)
___शीतातपदंशादिपरिषहोदये स्वाध्यायव्याघाते निःस्पृहत्वेन धर्मोपकरणग्रहणं समाधिस्थिरताहेतुः अमूच्छितस्य न तत्परिग्रहता । न हि पुद्गलजीवयोः एकक्षेत्रावगाहिता परिग्रहः । किन्तु चेतना तद्रागद्वेषपरिणतपरिग्रहग्रहत्वं प्राप्नोति । अतः उपकरणानां निमित्तता एव तत्त्वसाधने । यथार्हद्गुरुसंसर्गः निमित्तम्, एवमात्मनि स्वरूपस्थे न पुद्गलस्कन्धा बाधकाः । आत्मैव तदनुगतः बाधकत्वं करोति ॥७॥
વિવેચન :- જેમ દીપક પ્રકાશાત્મક છે, પણ ચારે બાજુથી જો પવનનું જોર હોય તો તેની જ્યોત પવનને અનુસારે જમણી ડાબી-ઉપર અને નીચે એમ સર્વત્ર ફરતી હોય છે તેથી અસ્થિર-ચંચળ હોય છે. પરંતુ જો તે દીપકને નિર્વા = વાયુ વિનાના સ્થાનમાં રાખવામાં આવે તો તે જ દીપકની જ્યોત અત્યન્ત સ્થિરતાને પામે છે. આ વાત સર્વ લોકોને અનુભવસિદ્ધ છે. સારાંશ કે પવનવાળા સ્થાનોમાં દીપક અસ્થિર અને ચંચળ હોય છે, પણ પવન વિનાના સ્થાનોમાં તે જ દીપક અત્યંત સ્થિર હોય છે. એ જ રીતે પ્રમાદ વિનાના જાગૃત મુનિ ધર્મનાં ઉપકરણોવાળા હોય તો પણ (વસ્ત્ર-પાત્રાદિ ઉપધિવાળા હોય તો પણ) નિષ્પરિગ્રહતા રૂપ સ્થિરતાને પામનારા બને છે. કારણ કે વસ્ત્ર-પાત્રાદિ ધર્મનાં ઉપકરણો પવન વિનાનાં સ્થાનો તુલ્ય છે.
જૈનદર્શનમાં દિગંબર સંપ્રદાય મુનિજીવનમાં વસ્ત્ર-પાત્રાદિ ઉપધિના ત્યાગથી નિષ્પરિગ્રહતા માને છે. તેઓનું કહેવું એવું છે કે મુનિ જો વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ રાખે તો પરદ્રવ્યની વિદ્યમાનતા હોવાથી તે મુનિ પરિગ્રહવાળા કહેવાય, નિષ્પરિગ્રહી ન કહેવાય અને નિષ્પરિગ્રહતા વિના સાધુતા જ ન સંભવે. તેવા પ્રકારની દિગંબર સંપ્રદાયની યુક્તિની સામે પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી જણાવે છે કે ધર્મનાં ઉપકરણો રાખવાં તે પરિગ્રહ નથી, પણ મૂછ