________________
૬૭૦
શાસ્ત્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
કલ્યાણ કરનારાં અને અત્યન્ત હિત કરનારાં સંવર, નિર્જરા અને મોક્ષ આમ ત્રણના નામનો ઉલ્લેખ અહીં શાસ્ત્રકાર કરે છે.
આવતાં કર્મોનું અટકાવવું તે સંવર, જુનાં બંધાયેલાં કર્મોનું તોડવું તે નિર્જરા અને સર્વથા કર્મોનો નાશ કરવો તે મોક્ષ. આ ત્રણે તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરવાથી અને યથાર્થ આચરણ કરવાથી આત્માનું હિત-કલ્યાણ થાય છે, પરંતુ સર્વજ્ઞ-પરમાત્માનાં વચનોનો આધાર લીધા વિના આ વિષયો યથાર્થ સમજાતા નથી. યથાર્થપણે આચરણમાં આવતા નથી. શાસ્ત્રના આલંબનના અભાવે જૈનીય દીક્ષાને બદલે કેટલાક જીવો તાપસી દીક્ષા લે છે. એ દીક્ષા પણ મુક્તિ અપાવે છે આમ સમજી લે છે. તપ-જપને બદલે પાંચ ઈન્દ્રિયોના વિષયોનો વ્યવહાર કરે છે અને માની લે છે કે “આત્મા તો કર્મ કરતો જ નથી પણ પ્રકૃતિ જ (શરીર જ) ભોગો ભોગવે છે. આત્મા તો શુદ્ધ-બુદ્ધ જ છે. ઈત્યાદિ મનમાની અનેક કલ્પનાઓ કરીને અવળા માર્ગે જાય છે.
આ રીતે જીવ અનેક ખોટા ઉપાયો કરે છે, પણ સાચો માર્ગ જાણ્યો ન હોવાથી ખોટા રસ્તે ચાલવાથી ડગલે પગલે અલના પામે છે. ફળ પ્રાપ્તિ કરતા નથી અને નિરુત્તર બને છે. કારણ કે સામાન્યથી જે જે જીવો શુદ્ધમાર્ગને જાણતા નથી અને ખોટા ખોટા પોતાના કલ્પેલા અનેક ઉપાયોમાં પ્રવર્તે છે તે જીવો સાધ્યને સાથે નહીં, પણ સ્કૂલના જ પામે. માટે શાસ્ત્રારૂપી દીપકનો અવશ્ય આધાર લેવો જ જોઈએ. આપણે
शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् । भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् ॥६॥
ગાથાર્થ :- જેમ ભૂતવાદી મુનિની હત્યા કરનારા શબરને (ભીલને) મુનિના પગના સ્પર્શનું નિવારણ કરવું તે હિતકારી નથી તેમ જિનેશ્વરપ્રભુની આજ્ઞાની અપેક્ષા વિનાના જીવનો શુદ્ધ આહાર-પાણી આદિનો વ્યવહાર પણ આત્માને હિતકારી નથી. leી.
ટીકા - “શુદ્ધોછલીતિ” શાસ્ત્રીનિરપેક્ષત્ર્ય-મનોવત્તાસાદિતસ્ય शुद्धोञ्छाद्यपि-द्वाचत्वारिंशद्दोषरहिताहारग्राहकस्यापि नो हितम्-न सुखकरम्, यथा भौतहन्तुः-तस्य स्वगुरोः पदस्पर्शनिवारणं न हितम् । अत्र यथैकस्य शबरस्य जीवद्भौतपदस्पर्शनिवारणम्, स मयूरपिच्छार्थी भौतं हत्वा पश्चात् स्पर्शं चकार । तथा आत्मानं हत्वा षड्जीवनिकायान् रक्षन् तद्वत्करोति । अतो मौढ्यं निवार्य तत्त्वज्ञानवता भवनीयम् ।