________________
શાસ્રાષ્ટક-૨૪
જ્ઞાનસાર
ગાથાર્થ :- તેથી શાસ્ત્ર પ્રધાન કરાયે છતે વીતરાગ પ્રભુ પ્રધાન કરાયેલા થાય છે અને તે વીતરાગપ્રભુ પ્રધાન કરાયે છતે સર્વ સિદ્ધિઓ નિયમા પ્રાપ્ત થાય છે. II૪ ટીકા :– “શાસ્ત્ર પુરસ્કૃત કૃતિ તસ્માત્ ારાત્ શાસ્ત્ર-સિદ્ધાન્ત, પુરસ્કૃતેમુધ્ધતાં તે, વીતરાગ:-અર્દ, પુરસ્કૃત:-અગ્રેસરીત:। પુન: તસ્મિન્-વીતરાગે पुरस्कृते नियमात्-निश्चयात् सर्वसिद्धयः भवन्ति । उक्तञ्च -
૬૬૮
अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थे च तस्मिन्, नियमात्सर्वार्थसंसिद्धिः ॥
(ષોડશપ્રજ્વળ ૨, શ્લો )
( सम्बोधसप्तति गाथा ३५ )
पुनः आगमे आगमं आयरंतेण, अत्तणो हियकंखिणा ।
तित्थनाहो सयंबुद्धो, सव्वे ते बहुमन्निया ॥ ३५॥
अतः आगमादरी अर्हन्मुनिसङ्घादरवान् इति ॥४॥
–
વિવેચન :- હિતશિક્ષાનું કથન જેમાં હોય અને ભવથી રક્ષણ જે કરે તેને જ શાસ્ત્ર કહેવાય છે અને વીતરાગપ્રભુનું જ વચન આવું હોઈ શકે છે. બીજા કોઈનું પણ નહીં તે કારણથી જે જે આત્માઓ કોઈ પણ વિષયમાં “શાસ્ત્ર”ને પ્રધાન કરે છે. “શાસ્ત્રમાં શું કહ્યું છે ? તે પ્રમાણે જ વિચારે છે અને તેને અનુસારે જ વચનોચ્ચાર અને વર્તનવ્યવહાર કરે છે. તે તે આત્માએ શાસ્ત્રને પ્રધાન કર્યું એટલે તેના પ્રણેતા એવા વીતરાગ પરમાત્માને જ પ્રધાન કર્યા કહેવાય છે અને જે જે આત્માએ વીતરાગ પરમાત્માને પ્રધાન કર્યા છે અને કરે છે તેઓ યથાર્થ માર્ગે હોવાથી સર્વસિદ્ધિઓ અવશ્ય પ્રાપ્ત કરે છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મ. શ્રી ષોડશકપ્રકરણમાં કહે છે કે “વીતરાગપ્રભુનું આ વચન (શાસ્ત્ર) હૃદયમાં અવધારણ કર્યે છતે તાત્ત્વિક રીતે વીતરાગ પ્રભુ જ હૃદયમાં ધારણ કરાયા છે આમ જાણવું અને વીતરાગ પ્રભુને હૃદયમાં ધારણ કર્યા એટલે નિયમા સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થઈ જ સમજો.
વળી આગમશાસ્ત્રોમાં સંબોધસિત્તરિ પ્રકરણમાં પણ કહ્યું છે કે “આગમનું આદરમાન કરાયે છતે પોતાના આત્માનું જ હિત ઈચ્છાયું છે અને સ્વયંસંબુદ્ધ એવા શ્રી તીર્થંકરપ્રભુ વગેરે સર્વ પણ પૂર્વપુરુષો પ્રત્યે બહુમાન કરાયું છે.” કારણ કે તીર્થંકર પ્રભુએ જ અર્થથી