________________
આત્માથી જ થાય. મૂળકારશ્રીનું આ વચન પરમ તૃપ્તિની કેડીને કંડારે છે. તો પુત્રીસ્વાન સુવિમાન વ મિથ્યાજ્ઞાનમ્ - ટીકાકારશ્રીનું આ વચન અનાદિ કાલીન ભ્રમણાઓને ભાંગી નાખે છે.
(૧૧) નિર્લેપાષ્ટક - આકાશને અંજનનો સંયોગ થવા છતાં પણ તે લેખાતું નથી. તે જ રીતે પુદ્ગલોથી આત્માનું લેપાવું શક્ય નથી. ઈત્યાદિ રહસ્યોને આ અષ્ટકમાં સારી રીતે છતાં કરાયાં છે. ટીકાકારશ્રીએ અનેક સ્થળોએ આગમસાક્ષીઓને રજુ કરી પોતાના અગાધ જ્ઞાનનો પરિચય આપ્યો છે.
(૧૨) નિઃસ્પૃહાષ્ટક - મેળવવા યોગ્ય વસ્તુ કોઈ હોય, તો તે છે સ્વભાવ. અને આ વસ્તુ તો મેળવેલી જ છે. કારણ કે તેની એવી વ્યુત્પત્તિ છે – સ્વો માવ:-સ્વભાવ: | સ્વભાવ એ જ સ્વયં છે. પોતે સ્વભાવથી ભિન્ન નથી. માટે દુનિયામાં કોઈ વસ્તુની સ્પૃહા કરવા જેવી નથી. આટલી જ સમજ મુનિવરને નિઃસ્પૃહતાની ખુમારી અર્પે છે. આવાં અનેક રહસ્યોને પ્રસ્તુત અષ્ટકમાં રજુ કર્યા છે.
(૧૩) મોનાષ્ટક - સ્થૂલતર દૃષ્ટિએ બોલવું નહીં તે મૌન છે. સ્થૂલ દષ્ટિએ ઈશારાહુંકારા આદિનો પણ ત્યાગ એ મૌન છે. પણ પ્રસ્તુત અષ્ટકમાં મૌનની સૂક્ષ્મ વ્યાખ્યા કહી છે - પુજોધ્યપ્રવૃત્તિનું યોનાં મૌનમુમન્ ! વચનના અનુચ્ચાર રૂપ મૌન તો એકેન્દ્રિયોમાં પણ સુલભ છે. પરંતુ - “મન-વચન-કાયાની પુદ્ગલોમાં અપ્રવૃત્તિ.” એ સૌથી ઉત્તમ મૌન છે ટીકાકારશ્રીએ આ અષ્ટકમાં યોગસ્થાનની સૂક્ષ્મ પ્રરૂપણા પણ કર્મપ્રકૃતિને અનુસાર કરી છે.
(૧૪) વિધાષ્ટક - અતવિષયા તબુદ્ધિ એનું જ નામ અવિઘા. તવિષયા તબુદ્ધિ એનું જ નામ વિદ્યા. આ વ્યાખ્યાને શુચિ-અશુચિના દૃષ્ટાંત દ્વારા આ અષ્ટકમાં સુંદર રીતે સ્પષ્ટ કરવામાં આવી છે.
(૧૫) વિવેકાષ્ટક :- સમાધિતંત્રનો એક શ્લોક છે - રેહાન્તરાર્થીનું ફેમિનાત્મભાવના વીનં વિનિધ્યરાત્મચેવાવના | શરીરવિષયક “હું બુદ્ધિ' એ જ સંસારનું બીજ. આત્મવિષયક “હું બુદ્ધિ' એ જ મોક્ષનું બીજ. ભવબીજને બાળીને મોક્ષબીજનું વાવેતર કરવા માટેનું એક સાધન છે – વિવેક. પ્રસ્તુત અષ્ટકમાં વિવેકના આવિર્ભાવની અદ્ભુત ચાવીઓ રજુ કરવામાં આવી છે.
(૧૬) માધ્યચ્યાષ્ટક - યુક્તિ એ ગાયના સ્થાને છે. કોઈનું મન વાછરડા જેવું સૌમ્ય હોય છે, જે એ ગાયને અનુસરે છે. જ્યારે કોઈનું મન વાંદરા જેવું તોફાની હોય છે. જે એ ગાયનું પૂંછડું ખેંચે છે. એક નાનકડા શ્લોકમાં આવા સચોટ રૂપક દ્વારા યોગગ્રંથોના