________________
જ્ઞાનમંજરી લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
૬૪૯ लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्य: स्यात्कदाचन ॥४॥
ગાથાર્થ :- લોકસંજ્ઞાનું આલંબન લઈને બહુ માણસો વડે જે કરાયું હોય તે જ જો કર્તવ્ય હોત તો મિથ્યાષ્ટિઓનો ધર્મ ક્યારેય પણ ત્યજવા લાયક ન થાત. ll
ટીકા - “નોક્રેમતિ વે-૬, યર્ વMિ: વૃત્તિ તત્ વર્તવ્ય, નોમર્તવ્ય एवं क्रियते, तदा मिथ्यादृशां धर्मः कदाचन-कदापि न त्याज्य: स्यात् । तच्च बहुभिः क्रियमाणत्वात् । स्वेच्छाचरणो लोकः बहुतरः । यतः-अनार्येभ्यः आर्याः स्तोकाः, आर्येभ्यः जैनाचाराः स्तोकाः, जैनाचारवर्तिषु जैनपरिणतिपरिणताः स्तोकाः । अतो बहुलोकानुयायिना न भवनीयमिति ॥४॥
વિવેચન - જો લોકસંજ્ઞાને જ અનુસરવાનું હોત અને બહુ લોકો વડે જે કરાયું હોય તે જ કર્તવ્ય હોત, આ રીતે લોકાનુયાયી થઈને જ જો કાર્ય કરવાનું હોત તો મિથ્યાદૃષ્ટિ આત્માઓનો ધર્મ ક્યારેય પણ ત્યજવા લાયક ન કહેવાય. કારણ કે ત્રણે કાલે મિથ્યાષ્ટિ જીવોએ આચરેલો જે મિથ્યાધર્મ છે, તે બહુ જીવો વડે આચરણ કરાયેલો છે. અનાદિ કાલથી અનંતકાલ સુધી મિથ્યાદૃષ્ટિ જીવોની જ સંખ્યા બહુ રહી છે અને બહુ રહેવાની છે. હવે જો બહમતિનો જ પક્ષ સ્વીકારવા યોગ્ય હોત તો ત્રણે કાલે તે જ ધર્મ કર્તવ્ય બને,
ક્યારેય પણ તેનો ત્યાગ કરાય નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેમ ધર્મ કરનારાઓની સંખ્યા સદાકાલ બહુ હોય છે.
આ સંસારમાં અનાર્ય જીવો કરતાં આર્ય જીવો અલ્પ હોય છે, આર્યદેશમાં ઉત્પન્ન થયેલામાં પણ જૈન આચાર પાલન કરનારા જીવો થોડા હોય છે અને જૈન આચાર પાલન કરનારામાં પણ જૈનત્વ પરિણામ પામ્યું હોય એવા પરિણત જૈનત્વવાળા જીવો થોડા હોય છે. આ કારણથી બહુજનાનુયાયિત્વ આચરવા જેવું નથી, આ ભાવાર્થને સમજાવનારો પાઠ ૫. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ગુજરાતી કાવ્યરૂપે બનાવેલા સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં પણ કહ્યો છે. તે આ પ્રમાણે -
કોઈ કહે “જિમ બહુજન ચાલે, તેમ ચલીએ શી ચર્ચા? | મારગ મહાજન ચાલે ભાખ્યો, તેહમાં લહીએ અર્ચા રે IIણા તે પણ બોલ મૃષા મન ધરીએ, બહુજનમત આદરતાં આ છેહ ન આવે, બહુલ અનારય, મિથ્યામતમાં ફરતા રે Iટા