SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ભવોગઅષ્ટક-૨૨ ૬૩૭ મુનિ પણ સંસારમાં અહીંતહીં ભટકવાથી-જન્મમરણની જંજાળથી કંટાળેલા અને આત્માના શુદ્ધ-નિર્મળ ગુણોનું આચ્છાદન કરનારા કર્મોના ઉદયરૂપ ઔદયિકભાવમય મહાદુઃખથી ભયભીત થયેલા મુનિ ધર્મક્રિયાઓમાં એટલે કે પાંચ સમિતિ પાળવામાં, ત્રણ ગુપ્તિ સાચવવામાં, ચરણસિત્તરી અને કરણસિત્તરીના ૭૦-૭૦ ભેદોનું પાલન કરવા સ્વરૂપ આત્મકલ્યાણકારક ધર્મક્રિયાઓમાં અનન્ય ચિત્તવાળા (એકાગ્રચિત્તવાળા) બને છે. જે મહાત્મા પુરુષનું ચિત્ત આત્મતત્ત્વની સાધના વિનાના બીજા કોઈ અન્ય ભાવમાં નથી તે મહાત્માને અનન્ય ચિત્તવાળા કહેવાય છે. સારાંશ કે આત્મતત્ત્વની સિદ્ધિ કરી આપે એવી ધર્મક્રિયાઓમાં અને રત્નત્રયીની આરાધનામાં જ ભવથી ભીત મુનિ એકાગ્ર-ચિત્તવાળા થાય છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે – દેવાંગનાઓ ગાયન ગાતી હોય અથવા નૃત્ય કરતી હોય) અને વીણા વગેરે વાજીંત્રો વાગતાં હોય તો પણ (મોહનો વિજય કરનારા) મહાભાગ્યશાળી મુનિઓ સમભાવયુક્ત ચિત્તવાળા હોય છે. ગાનતાન અને નૃત્યમાં અંજાતા નથી. //૧ પર્વતની શિલાના તટ ઉપર બેઠેલા નિર્ચસ્થ મહામુનિઓ દુ:ખદાયી સ્પર્શવાળી ઠંડી કે દુઃખદાયી સ્પર્શવાળા ઠંડા પવન વડે તીવ્ર વેદના પામતા હોવા છતાં પરમાર્થથી ઉજજ્વલ હોવાના કારણે સમચિત્તવાળા રહે છે. રા. અરણ્યમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા નિર્ઝન્થ મુનિઓ માંસમાં લોલુપી એવા સિંહ વડે દાઢની વચ્ચે પકડાયા હોય, દાઢથી શરીરના ટુકડે ટુકડા કરીને સિંહ ખાતો હોય તો પણ સમાધિ ભાવને પામેલા તે મુનિઓ સંવરભાવયુક્ત થઈને રહે છે પણ કષાયને આધીન થઈને આશ્રવભાવમાં જતા નથી. તેવા દો. कथमीदृग्विपाके निर्भया निर्ग्रन्थाः ? इत्युपदिशन्नाह - विषं विषस्य वह्नश्च वह्निरेव यदौषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः ॥७॥ ગાથાર્થ - વિષનું ઔષધ વિષ અને અગ્નિનું ઔષધ અગ્નિ આવી જે લોકપ્રસિદ્ધિ છે તે ખરેખર સત્ય છે. કારણ કે ભવથી ભય પામેલા મહાત્માઓને ઉપસર્ગ આવે તો પણ ભય હોતો નથી. liણા ટીકા :- “વિષે વિષ0 રૂતિ'' યથા શત્ વિષાર્જ વિષી મૌષધું વિષમેવ करोति, यथा सर्पदष्टः निम्बादिचर्वणे न बिभेति । अथवा कश्चित् अग्निदग्धः
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy