SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ભવોગઅષ્ટક- ૨૨ ૬૨૯ तस्माद् अतिदारुणात्-महाभयानकाद् नित्योद्विग्नः, - सदोदासीनः, तस्य सन्तरणोपायं सम्यग्ज्ञानदर्शनचारित्ररूपं काङ्क्षति-अभिलषति । इति भवभीतः इव तिष्ठति ॥५॥ चिन्तयति च मम-शुद्धज्ञानमयस्य परमतत्त्वरमणचारित्रपवित्रस्य रागद्वेषक्षयसमुत्थपरमशमशीतलस्य, अनन्तानन्दसुखमग्नस्य, सर्वज्ञस्य परमदक्षस्य शरीराहारसङ्गमुक्तस्यामूर्तस्य कथं शरीरादिव्यसनसमूहभारभुग्नताभुग्नस्वशक्तिवत्त्वं युज्यते । नाहं शरीरी पुद्गली सकर्मा जन्ममरणी च, तेन मम कथं महामोहावर्तः अयम् ? इत्युद्विग्नः । આ પ્રમાણે આ સંસારરૂપી સમુદ્ર (૧) ઘણી જ ઊંડાઈવાળો મધ્યભાગ છે જેનો એવો છે. (૨) અજ્ઞાનરૂપી વજના બનેલા તળીયાવાળો છે. (૩) દુઃખો રૂપી પર્વતોના સમૂહ વડે રોકાયેલા દુર્ગમ છે માર્ગો જેમાં એવો છે. (૪) તૃષ્ણારૂપી મહાવાયુથી ભરેલા કષાયો રૂપી પાતાલકલશા જ્યાં ચિત્તના વિકલ્પો રૂપી વેલની વૃદ્ધિ કરે તેવા છે. (૫) સ્નેહરૂપી ઈન્જનવાળો કામવાસના રૂપી અગ્નિ જ્યાં સળગી રહ્યો છે (૬) ઘોર એવા રોગ-શોકાદિ દુઃખો રૂપી માછલાં અને કાચબાઓથી ભરપૂર ભરેલો છે. (૭) દુબુદ્ધિ રૂપી વિજળી, મત્સરભાવ રૂપી તોફાની પવન અને દ્રોહભાવ રૂપી ગર્જરવના કારણે જ્યાં યાત્રા કરનારા લોકો અકસ્માત સંકટમાં આવી પડે છે આવો અતિશય દારુણ તથા શબ્દોથી ન સમજાવી શકાય તેવો આ સંસારસમુદ્ર છે. તે કારણથી અતિશય ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રથી નિત્ય ઉદ્વેગ પામ્યા છતા અર્થાત્ સદાકાલ ઉદાસીન રહ્યા છતા સાંસારિક ભાવોમાં હર્ષ-આનંદ-પ્રીતિ વિનાના જીવો આવા ભયંકર તે સંસારસમુદ્રને તરવાના ઉપાયભૂત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રને જ સતતપણે ઈચ્છે છે. તેની જ નિરંતર ઝંખના રાખે છે અને મનમાં શુદ્ધ નિશ્ચયનયને અનુસારે આવા આવા વિચારો કરે છે કે - હું શુદ્ધજ્ઞાનમય સ્ફટિકના ગોળા જેવું શુદ્ધ-નિર્મળ દ્રવ્ય છું, શ્રેષ્ઠ એવાં તત્ત્વોમાં રમણતા કરવા રૂપ જ્ઞાનમય ચારિત્રધર્મથી યુક્ત છું, રાગ અને દ્વેષનો સર્વથા ક્ષય કરવાથી ઉત્પન્ન થયેલા એવા પરમ ઉપશમભાવની શીતળતાવાળો છું. અનંત અનંત પોતાના ગુણોના અનુભવ રૂપ આનંદ અને સુખમાં મગ્ન છું, ત્રણે લોકના, ત્રણે કાલના, સર્વ દ્રવ્યોના, સર્વ પર્યાયોને જાણનારા સિદ્ધપરમાત્મા સમાન હું પણ સર્વજ્ઞ છું, હું પરમદક્ષ (અતિશય ચતુર) છું, શરીર આહારાદિ પરદ્રવ્યના સંગથી સર્વથા મુક્ત છું, અરૂપી છે. આવા પ્રકારના નિર્મળ,
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy