________________
જ્ઞાનમંજરી ભવોગઅષ્ટક- ૨૨
૬૨૧ ભવ કહેવો તે દ્રવ્યભવ જાણવો અને ચારે ગતિમાં જન્મ-મરણ પામવા રૂપ જે વાસ્તવિક ભવ છે, તે ભાવભવ સમજવો. જન્મ-જરા-મરણ-રોગ અને શોક એ જ પરમાર્થથી સંસાર છે. તેને જ ભવ કહેવાય છે. તે ભાવભવ સમજવો.
હવે સાત નયોથી ભવ સમજાવાય છે. જે ધન-ધાન્યાદિ અને સ્વજનાદિ રૂપ દ્રવ્યભવ છે તે પ્રથમના ચાર નયથી ભવ જણવો. તથા જન્મ-મરણાદિ રૂપ જે ભાવભવ છે તે શબ્દાદિ પાછલા ત્રણ નયથી ભવ જાણવો. છતાં કંઈક વિસ્તારથી નિયવિચારણા આ પ્રમાણે
છે.
(૨)
નૈગમનય :- વિકલેન્દ્રિય-એકેન્દ્રિય અને સૂક્ષ્મનિગોદના જીવોમાં અવ્યક્ત ચેતના હોતે છતે જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ રૂપ જે સંસાર તે નૈગમનયથી ભવ જાણવો. સંગ્રહનય - પંચેન્દ્રિયજીવોના દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય રૂપે ચારગતિરૂપ જે સંસાર તે વ્યક્તચેતના હોવાથી સંગ્રહનયની અપેક્ષાએ ભવ, જે સુખ-દુઃખની વધારે અનુભૂતિરૂપ છે માટે સંગ્રહનય વ્યવહારનય - મનુષ્યના ભવમાં પ્રાપ્ત થયેલા પુત્ર-પુત્રી-પત્ની આદિ પરિવાર તથા તથા ધન-ધાન્યાદિ ભોગસામગ્રી, વસા જાલ જે ભોગસામગ્રી છે તે અને ભાવિમાં આવવાની સંભાવના હોય તે, આ સઘળા પદાર્થો કે જે સુખ-દુઃખના અનુભવનાં કારણો છે તે વ્યવહારનયથી ભવ, લોકમાં પણ આવો વ્યવહાર થાય છે
કે આ પરિવાર, આ ઘર, આ ધન, એ જ મારો સંસાર છે. (૪) ઋજુસૂત્રનય :- માત્ર વર્તમાનકાલે વિદ્યમાન પરિવાર-સ્વજનાદિ અને ધન-ધાન્યાદિ
એ જ ઋજુસૂત્રનયથી ભવ જાણવો. શબ્દનય - ચારે ગતિમાં રખડવા રૂપ જન્મ-જરા-મરણમય જે સંસાર કે જેને ભાવનિક્ષેપે ભવ કહેવાય છે તે શબ્દનયથી ભવ.
- ચારે ગતિમાં રખડવા રૂપ જન્મ-જરા-મરણાદિમય સંસારની પ્રાપ્તિ કરાવે એવા મિથ્યાત્વ-અસંયમ અને કષાયવાળા આત્મપરિણામ તે સમભિરૂઢનયથી ભવ.
:- ચારે ગતિમાં રખડવા રૂપ જન્મ-જરા-મરણાદિ મય સંસારની પ્રાપ્તિ