________________
૬૨૦
જ્ઞાનસાર
ભવોઢેગઅષ્ટક-૨૨ થ દાવિંશતિત મોIિIષ્ટભ્રમ્ |
|
कर्मविपाकोद्विग्नभावात् संसाराद् उद्विजति । अतो भवोद्वेगाष्टकं लिख्यते । तत्र नामभवः रुद्रादिः । अथवा तन्नाम शब्दालापरूपः, स्थापनाभवः लोकाकाशः तदाकारो वा । द्रव्यभवः भ्रवभ्रमणे हेतुरूपः धनस्वजनादिः । भावभवः चतुर्गतिरूपः जन्ममरणादिलक्षणः । नयस्वरूपं च-द्रव्यनिक्षेपे यावत् नयचतुष्टयम्, भावनिक्षेपे शब्दादिनयत्रयं ज्ञेयम् ।
એકવીસમું કર્મવિપાકચિંતનાષ્ટક સમજાવ્યું, પૂર્વે બાંધેલ પુણ્ય-પાપના ઉદયથી જીવને સુખ-દુઃખ આવે છે. સાંસારિક સુખ-દુઃખ એ જીવનું પોતાનું અસલી સ્વરૂપ નથી, તેથી કર્મોના વિપાકોદયમાં આ જીવ ઉદ્વેગવાળો બને છે અને આ રીતે કર્મોના વિપાકોમાં ઉદ્વેગ ભાવવાળો બનવાથી તજજન્ય એવા સંસારથી પણ ઉદ્વેગવાળો આ જીવ બને છે. આ કારણથી હવે “ભવોગ” નામનું અષ્ટક લખાય છે. ભવોઢેગ એટલે સાંસારિક ભાવોથી ઉગી બનવું. ત્યાં સર્વે જીવો સદા સુખપ્રિય હોવાથી દુઃખોથી તો ઉદ્ધગી હોય જ છે. પરંતુ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલાં સાનુકૂળ સુખનાં સાધનો એ પણ આ આત્મા માટે બંધન હોવાથી તેનાથી ઉગી બનવું તે ભવોગ. સાંસારિક સુખ ઉપરથી મન ઉઠાવી લેવું તે ભવોઢેગ સમજવો. ત્યાં પ્રથમ ચાર નિક્ષેપ સમજાવાય છે.
રુદ્ર એટલે મહાદેવ-શંકર, શંકરનું પર્યાયવાચી નામ ભવ છે. માટે શંકર તે નામભવ કહેવાય છે. “ભાવ” એવું કોઈનું પણ સાંસારિક જન્મકાલથી નામ કરાય તે નામભવ છે. અથવા તે તે નામનું શબ્દાત્મકપણે જે ઉચ્ચારણ કરવું તે નામભવ સમજવો.
ચૌદ રાજલોક પ્રમાણવાળા લોકાકાશમાં સર્વે જીવો જન્મમરણ કરે છે. સર્વે જીવોના ભવો લોકાકાશમાં જ થાય છે. અલોકમાં કોઈપણ જીવનું જન્મ-મરણ થતું નથી. માટે લોકાકાશ અથવા લોકાકાશનો આકાર તે સ્થાપનાભવ. અથવા કોઈપણ ભવને પામેલા જીવની આકૃતિ દોરવી તે અથવા લોકાકાશની આકૃતિ દોરવી તે સ્થાપના ભવ સમજવો.
સંસારના પરિભ્રમણમાં હેતુભૂત એવો ધન-સ્વજન આદિ પદાર્થસમૂહ તે દ્રવ્યભવ. અહીં કારણને દ્રવ્ય કહેવાય એ ન્યાયને અનુસરીને ધન, સ્વજનો, સોનું, રૂપું, હીરા, માણેક, ઘર, મિલકત વગેરે સાંસારિક સઘળા પણ પદાર્થો આ જીવને મમતા-મૂછ કરાવવા દ્વારા જન્મ-મરણરૂપ સંસારના પરિભ્રમણમાં હેત બને છે. તેથી કારણભૂત એવા તે પદાર્થોને જ