________________
૬૦૪ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર એવા મુનિ મહારાજ જાણે છે. જ્યારે સમસ્ત જગત જો શુભાશુભ કર્મને આધીન જ હોય તો આપણે પણ કર્મોદયને પરવશ જ છીએ આમ સમજીને પુણ્યોદય હોય ત્યારે સુખમાં અંજવું જોઈએ નહીં અને પાપોદય હોય ત્યારે દુઃખમાં ગભરાવું જોઈએ નહીં. તેથી કર્મવિપાકોદયને ગૌણ કરીને આ મહાત્મા આત્મતત્ત્વની સાધનામાં જ ઉદ્યમશીલ બને છે. સંસારમાં છીએ ત્યાં સુધી પુણ્ય-પાપના ઉદયને કારણે સુખ-દુઃખ આવવાનાં જ છે. આ બન્નેમાંથી હે જીવએક પણ અવસ્થા તારી નથી. માટે તેમાં અંજાયા વિના તારા પોતાના આત્મતત્ત્વના ગુણોને પ્રગટ કરવામાં તું સાવધ થા, આમ મહાત્મા પુરુષો પોતાના આત્માને સદાકાળ સમજાવે છે, પણ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિમાં કે પાપોદયથી પ્રાપ્ત થયેલી વિપત્તિમાં હર્ષ-શોકથી જોડાતા નથી. ll૧||
येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षापि नाप्यते ॥२॥
ગાથાર્થ - જે રાજાના આંખના ઈશારામાત્રથી પર્વતો પણ ભેદાય છે તે જ રાજાઓને કર્મોદય વિપરીત હોય ત્યારે ભિક્ષા પણ મળતી નથી. રા/
ટીકા :- “ષ જૂમતિ” વેષ-પુરુષા, જૂમમાત્રે-શૂવિક્ષેપેન, પર્વતાगिरिवरा अपि भज्यन्ते, तैर्भूपैः कर्मवैषम्ये-कर्मणां वैषम्यं-कर्मजनिता विषमता, तस्मिन् कर्मोदये दुःखावस्थायां भिक्षापि न आप्यते-न प्राप्यते, इति शुभाशुभવિપાશવૈવિચમ્ પારા
વિવેચન :- કર્મોના વિપાકો કેવા ભયંકર હોય છે? તે વિષય સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે-જે રાજાઓ ઘણા જ બળવાન હોય, પરાક્રમી હોય, પ્રતાપી હોય, ધરાને (પૃથ્વીને) ધ્રુજાવતા હોય, જે રાજપુરુષોના આંખના ઈશારામાત્રથી તેઓનું સૈન્ય મોટા મોટા મહાગિરિઓના ચૂરેચૂરા કરી નાખતું હોય અથવા જેનું સૈન્ય આંખના ઈશારામાત્રથી ગિરિવર જેવા બલિષ્ઠ રાજાઓનો નાશ કરતા હોય તે રાજાઓનો પુણ્યોદય જ્યારે સમાપ્ત થાય છે અને કર્મની વિષમતા શરૂ થાય છે ત્યારે એટલે કે પાપોદય શરૂ થાય છે ત્યારે તે પાપકર્મના ઉદયકાલે દુઃખી અવસ્થામાં ઘેર ઘેર ભિક્ષા માગવા છતાં રોટલાનો ટુકડો પણ કોઈ આપતું નથી. બધા જ લોકો તિરસ્કારપૂર્વક જાકારો જ આપે છે. શુભાશુભ કર્મોના ઉદયની આવી વિચિત્રતા છે.
જેમકે હરિશ્ચંદ્ર રાજા એકવાર રાજગાદી ઉપર પ્રતાપી રાજા તરીકે રાજ્ય કરતા હતા. તે જ રાજાનું કર્મ જયારે વિષમ બન્યું ત્યારે ચંડાળને ત્યાં લાકડાં તોળી આપવાની નોકરી