________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
૫૭૭
બાહ્ય આલંબનોની અપેક્ષા રાખીને આત્માના ગુણોની સાધનામાં એકાગ્ર બનનાર આત્માઓમાં જે સમૃદ્ધિ તે શબ્દનયથી સર્વસમૃદ્ધિ - પોતાનો જ ભાવનિક્ષેપ સવિશેષ છે માટે.
(૬)
(6)
:- નૈîિવત – પોતે જ સ્વયં જાગૃત થઈને મોહને જિતીને વીતરાગપ્રભુની પ્રતિમા આદિ બાહ્ય પર–આલંબનોની અપેક્ષા રાખ્યા વિના નૈસર્ગિક રીતે – સહજ સ્વભાવે જ નિરાલંબન સાધનામાં જોડાવાપણું. સાતથી બાર ગુણસ્થાનકમાં વર્તતા મહાત્મા પુરુષોની વિશિષ્ટ એવી જે સાધનાવસ્થા તે નિકટકાલે અને નિયમા સર્વસમૃદ્ધિ પ્રગટ કરનાર હોવાથી સમભિરૂઢનયથી સર્વસમૃદ્ધિ
:- ઉત્સર્વરૂપેણુ – જ્યારે આ આત્મા ઘાતીકર્મો ખપાવીને પોતાના આત્મામાં ઉત્સર્ગરૂપે-મૂલસ્વરૂપે જે સર્વસમૃદ્ધિ છે તેને પ્રગટ કરી ક્ષાયિકભાવમાં આવે ત્યારે ૧૩-૧૪ ગુણઠાણે અને સિદ્ધાવસ્થામાં જે પ્રગટ સમૃદ્ધિ છે. તે સર્વસમૃદ્ધિ. કારણ કે યથાર્થપણે અને પરિપૂર્ણપણે સર્વસમૃદ્ધિ પ્રગટ થઈ છે તે માટે, આ સમૃદ્ધિ એવંભૂતનયથી જાણવી.
આ પ્રમાણે સંક્ષેપમાં સાત નય જાણવા. અહીં સૌથી પ્રથમ પોતાના આત્મામાં જ સમૃદ્ધિનું પૂર્ણપણું છે આમ જાણવું જોઈએ. કારણ કે પોતાના ગુણોની સમૃદ્ધિ પોતાનામાં જ અવભનય પૂર્ણપણે ભરેલી છે. પૌદ્ગલિકસંપત્તિ પરદ્રવ્ય હોવાથી એક ઘરથી બીજા ઘરે જાય છે, પરંતુ આત્મિક ગુણોની સમૃદ્ધિ એક આત્મામાંથી બીજા આત્મામાં ક્યારેય જતી નથી, તે તો પોતાની સમૃદ્ધિ પોતાના આત્મામાં જ વર્તે છે આવું ગ્રંથકારશ્રી આપણને સમજાવે છે –
बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु महात्मनः ।
અન્તરવાવમાસો, ટા: સર્વાં: સમૃદ્ધયઃ ॥૫॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિના વિલાસોનો નિરોધ કરાયે છતે મહાત્મા પુરુષને પોતાની સર્વ સમૃદ્ધિઓ પોતાની અંદર જ સ્ફુટપણે પ્રકાશિત થાય છે. II૧II
ટીકા :- “વાદ્યવૃષ્ટિપ્રવારેજી કૃતિ'' महात्मन:-स्वरूपपररूपभेदज्ञानपूर्वकशुद्धात्मानुभवलीनस्य सर्वसमृद्धयः स्फुटाः - प्रकटाः, अन्तरेव - आत्मान्तः एव स्वरूपमध्ये एव अवभासन्ते । यतः स्वरूपानन्दमयोऽहम्, निर्मलाखण्डसर्वप्रकाशकज्ञानवानहम्, इन्द्रचक्रावृद्धयः औपचारिकाः, अक्षयानन्तपर्यायसम्पत्पात्रमहमिति, स्वसत्ताज्ञानोपयुक्तस्य स्वात्मनि भासन्ते । कीदृशेषु सत्सु ? बाह्यदृष्टिप्रचारेषु
-