________________
જ્ઞાનમંજરી
पुनः उपदिशति
लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृग् ।
तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् ॥५॥
-
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
"
"
૫૬૩
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિવાળો પુરુષ આ શરીરને લાવણ્યની (કાન્તિની) રેખાઓ વડે અતિશય પવિત્ર સમજે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ કીડાઓના સમૂહથી ભરપૂર ભરેલું અને કુતરા તથા કાગડા (આદિ માંસાહારી પ્રાણીઓ)નું ભક્ષ્યમાત્ર છે આમ સમજે છે. પા
ટીકા :- “ભાવવ્યેતિ” વાદ્યવૃદ્-ભોળાનુ તવૃત્તિ: વપુ:-શરીર ભાવયलहरीपुण्यं - सौन्दर्यलहरीपवित्रं पश्यति । तत्त्वदृष्टिः- सम्यग्ज्ञानी तत्तु श्वकाकानां - श्वानकाकानां भक्ष्यं पश्यति, कृमिकुलाकुलं पश्यति - कृमिमयं पश्यति । उक्तञ्च - नवस्त्रोतः स्त्रवद्विस्त्र - रसनिः स्यन्दपिच्छिले ।
देहेऽपि शौचसङ्कल्पो, महन्मोहविजृम्भितम् ॥७३॥
(યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૩) अतः कर्मोपाधिजं शरीरमहितं बन्धहेतुत्वात्, तत्र रागाभाव एव वरम् ॥५॥
વિવેચન :- ત્રીજી ગાથામાં ગ્રામ-ઉદ્યાનાદિ બાહ્ય સંપત્તિ અને ચોથી ગાથામાં સ્રી, અસાર છે, તુચ્છ છે, કર્મબંધહેતુ છે અને રાગાદિ મોહનો હેતુ છે એમ સમજાવીને બન્ને દૃષ્ટિવાળામાં તે તે વસ્તુ નિરખવામાં કેવો ભેદ છે ? તે સમજાવ્યું. હવે એ જ પ્રમાણે બન્ને દૃષ્ટિવાળા પુરુષો શરી૨ને કેવા સ્વભાવવાળું દેખે છે તે સમજાવે છે.
બાહ્યદૃષ્ટિવાળા પુરુષ આ શરીરના લાવણ્ય-તેજ કાન્તિને જ વધારે દેખે છે. કારણ કે તે ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય છે. એટલે તેને આ લાવણ્યની લહરીઓ જ દેખાય છે અને તેથી શરીર અતિશય પવિત્ર છે આમ લાગે છે. સુંદરતાની જે લહરીઓ, તેનાથી પવિત્ર આ શરીર છે એમ દેખાય છે, પરંતુ તત્ત્વદૃષ્ટિવાળા પુરુષને એટલે કે સમ્યગ્નાની આત્માને તે જ શરીર કુતરા અને કાગડાને ખાવા લાયક છે આમ દેખાય છે. કારણ કે માણસનો આત્મા મૃત્યુ પામ્યા પછી જો આ શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં ન આવે તો કુતરા, કાગડા વગેરે પશુ-પક્ષીઓનું ભક્ષ્ય જ બને છે. તથા કરમીયા અને કીડાઓ વગેરે જીવાતના સમૂહથી ભરપૂર ભરેલું છે. શરીરના રુધિરાદિ એકે એક પદાર્થમાં જીવાત છે અને મૃત્યુ બાદ જો