________________
૫૬૨
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
वञ्चकत्वं नृशंसत्वं, चञ्चलत्वं कुशीलता ।
इति नैसर्गिका दोषा, यासां तासु रमेत कः ? ॥८४॥
भवस्य बीजं नरक - द्वारमार्गस्य दीपिका । शुचां कन्दः कलेर्मूलं, दुःखानां खानिरङ्गना ॥८७॥
જ્ઞાનસાર
(યોગશાસ્ત્ર પ્રાશ ૨, શ્લો ૮૪-૮૭)
अन्यशास्त्रेऽपि
कान्ताकनकसूत्रेण वेष्टितं सकलं जगत् । તાસુ તેવુ વિતો યો, ખ્રિમુન: પરમેશ્વર: "
इत्यादि तत्त्वज्ञस्य नारी मोहहेतुत्वाद् भवबीजरूपा भाति । ॥४॥
રસ (પ્રસ્રવણ-પેશાબ), અસૂક્ (રુધિર-લોહી), માંસ, મેદ (ચરબી), અસ્થિ (હાડકાં), મજ્જા, શુક્ર (વીર્ય) અન્ન (આંતરડાં) વર્ચસ્ (વિષ્ટા) ઈત્યાદિ કેવળ અશુભ પદાર્થોનું જ સ્થાન કાયા છે. અર્થાત્ આ કાયા ઉપરોક્ત અશુભ પદાર્થોથી ભરેલી છે. તેથી તે કાયામાં પવિત્રતા ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય. (યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૨)
અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
-
પંચકપણું (છેતરવાપણું) ક્રૂર-ઘાતકીપણું, ચંચલપણું, વ્યભિચારિપણું, આ દોષો જે સ્ત્રીઓમાં નૈસર્ગિક છે. (સ્વાભાવિક છે) તે સ્ત્રીઓમાં કોણ પ્રેમ કરે ? અર્થાત્ કોઈ ન કરે. અંગના (એટલે સ્ત્રી) એ સંસારનું બીજ છે. નરકના દરવાજાનો માર્ગ દેખાડનારી છે, શોક અરતિ-ઉદ્વેગનું મૂલ છે, કજીયાનું પણ મૂલ છે અને દુઃખોની ખાણ છે.” (યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લોક ૮૪-૮૭)
કાન્તા (સી) અને કનક (સુવર્ણ) આ બન્ને પદાર્થ રૂપી દોરા વડે સકલ જગત્ વીંટાયેલું છે. તેથી તે સ્રીઓમાં અને તે કનકમાં જે પુરુષ રંગાતો નથી તે જ દ્વિભુજ (મનુષ્ય) સાચો પરમેશ્વર છે.
ઈત્યાદિ અનેક શાસ્ત્રોના પાઠોના વિધાનથી સમજાય છે કે તત્ત્વજ્ઞ પુરુષને નારી મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે (એ જ પ્રમાણે તત્ત્વજ્ઞાની સ્રીને પુરુષ મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે. ઉપરની સઘળી હકિકત સ્ત્રીને આશ્રયી પુરુષમાં પણ સમજવી.) ॥૪॥