________________
૫૫૨ તત્ત્વદષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર તેનાથી આ જીવ સંસારમાં ભટકે છે. નરક-નિગોદના ભવોમાં દુઃખી દુઃખી થાય છે. પરદ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ એ જ મહાદોષ છે.
પરંતુ અરૂપી એવી એટલે રૂપ-રસ-ગંધ સ્પર્શ વિનાની આત્મામાં રહેલી ચૈતન્યશક્તિ સ્વરૂપ જ્ઞાનાત્મક જે તત્ત્વદષ્ટિ છે તે દૃષ્ટિ, ચાલ્યા ગયા છે મૂર્તપદાર્થના ધર્મો જેમાંથી એવા અર્થાત વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિથી રહિત એવા શુદ્ધચૈતન્ય લક્ષણવાળા આત્મતત્ત્વના સ્વરૂપમાં જ ડૂબેલી હોય છે. આત્મસ્વરૂપમાં જ લયલીન થાય છે. પૌગલિક ભાવોની ઉપેક્ષા કરીને આત્માના ગુણમય તત્ત્વચિંતનમાં વધારે લીન બને છે.
આ કારણથી અનાદિકાલથી ચાલી આવતી બાહ્યદૃષ્ટિનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપના જ ઉપયોગમાં દૃષ્ટિ કરવી જોઈએ. પરદ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ મોહોત્પાદક છે, વિભાવદશા છે. કર્મબંધનું કારણ છે. સંસારપરિભ્રમણનો હેતુ છે. માટે તેને ત્યજીને સ્વરૂપમગ્ન થવું જોઈએ. તેના
भ्रमवाटी बहिर्दृष्टिभ्रंमच्छाया तदीक्षणम् । अभ्रान्तस्तत्त्वदृष्टिस्तु, नास्यां शेते सुखाशया ॥२॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિ એ ભ્રમનું રક્ષણ કરનારી વાડ છે. તે બાહ્યદષ્ટિથી કરાતું નિરીક્ષણ-જ્ઞાનપ્રકાશ તે ભમાત્મક છાયા છે અને તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ અભ્રાન્ત છે. તે જીવ આવી ભમાત્મક એવી છાયામાં સુખબુદ્ધિએ આનંદ માણતો નથી. સુખબુદ્ધિપૂર્વક નિશ્ચિત્તપણે શયન કરતો નથી. રા
ટીકા - “બ્રમવાર તિ” વદિષ્ટિ-ભ્રમોના અમહેરિતિ નિવારવા, भवहेतुत्वात् । तत्त्वदृष्टिः श्रेयोऽभ्रमवाटी । इति भो भव्य ! बहिर्दृष्टिः -बाह्यभावावलोकनम् - "इदं शोभनम्, इदमशोभनम्, इदं कृतम्, इदं करोमि, इदं कार्यमित्याद्यवलोकनरूपा दृष्टिः, भ्रमवाटी-भ्रमस्य वाटी-रक्षिका वृत्तिः भ्रमविकल्पवर्द्धनी । बाह्यावलोकनेन तदिष्टानिष्टतादिचिन्तनेन विकल्पकल्पना जायते । चेतना च परावलोकनव्याकूलता स्वतत्त्वविमुखा तत्रैव रमते । उक्तञ्च -
વિવેચન :- બાહ્યદૃષ્ટિ એ ભ્રમથી ઉત્પન્ન થયેલી છે અને ભાવિમાં વધારેને વધારે ભ્રમને ઉત્પન્ન કરનાર પણ છે. આ રીતે આ બાહ્યદૃષ્ટિ એ ભ્રમસ્વરૂપ છે માટે ત્યાજ્ય છે, દૂર કરવા યોગ્ય છે. આ બાહ્યદૃષ્ટિથી જન્મ-મરણની પરંપરારૂપ ભવોની વૃદ્ધિ થાય છે. જે ૧. રૂપગુણના અને ચક્ષુરિન્દ્રિયના ઉપલક્ષણથી પુગલના શેષ ગુણો અને તેમાં મોહબ્ધ થતી પાંચે
ઈન્દ્રિયો સમજી લેવી.