________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૪૭ ઉપરનાં ત્રણ વિશેષણોથી સમજાય છે કે પરભાવદશાને અનુસરનારી ચેતના વિનાના અને નિર્મળ એવા આત્માના શુદ્ધ સ્વરૂપને જ અનુસરનારી એવી ચેતનાના પરિણામથી પરિણત થયેલા, તથા ચાલી ગઈ છે ઉત્કર્ષ (ઉન્માદ-મોટાઈનું તોફાન) અને અપકર્ષની (દીનતા-લાચારીની વિવિધ પ્રકારની અનેક કલ્પનાઓ જેમાંથી એવા મોહમય સંકલ્પવિકલ્પોની જાળના પોટલા વિનાના આવા પ્રકારના જ્ઞાનભાવમાં જ પરિણામ પામેલાજ્ઞાનગુણમાં જ એકરસિક આવા પ્રકારના આત્મપ્રશંસા વિનાના મુનિમહાત્માઓ હોય છે. તે જ મુનિઓ આત્મતત્ત્વની સાધના કરવામાં એકાગ્રતન્મય લયલીન બની શકે છે. આ કારણથી અભિમાનના ઉન્માદને ઉત્પન્ન કરનારી એવી આત્મપ્રશંસા ક્યારેય પણ કરવી નહીં. સ્વોત્કર્ષ ક્યારેય પણ ગાવો નહીં. પોતે જ પોતાના ગુણો ગાવાનું જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવું.
આ પ્રમાણે અઢારમું અનાત્મશંસાષ્ટક સમાપ્ત થયું. ll
.
અઢારમું અનાત્મશંસાષ્ટકસમાપ્ત તે પહે
Printed at BHARAT GRAPHICS 7. New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com