________________
પ૨૪ નિર્ભયાષ્ટક- ૧૭
જ્ઞાનસાર st :- “चित्ते इति" यस्य-निर्ग्रन्थस्य अकुतोभयं-न विद्यते कुतः-कस्माद् भयं यस्य तत् चारित्रं-स्वरूपस्थिरत्व-रम्यरमणत्वलक्षणं परिणतं-चेतनावीर्यादिसर्वगुणेषु तन्मयीभूतम्, तस्य साधोः कुतः भयं ? न कस्मादपि ।
कथम्भूतस्य मुनेः ? अखण्डज्ञानराज्यस्य-अचूर्णितज्ञानराज्यस्य इत्यनेन वचनधर्मक्षमामार्दवार्जवपरिणतस्य शुद्धज्ञानरम्यरमणस्य साधोः द्रव्यभावमुक्तियुक्तस्य परमाकिञ्चनस्य न भयम् । यथा श्रीकेशिगौतमाध्ययने
एगप्पा अजिए सत्तू, कसाया इंदियाणि य । ते जिणित्तु जहानायं, विहरामि अहं मुणी ॥३८॥ रागद्दोसादओ तिव्वा, णेहपासा भयङ्करा । ते छिंदित्तु जहानायं, विहरामि जहक्कमं ॥४३॥ (उत्त२५. २3, Puथा-3८-४3) तथा च नमिराजर्षिवचनम्बहु खु मुणिणो भई, अणगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥१६॥ (उत्त२N. &, Puथा-१६) इत्यादि । परपुद्गलसंयोगे यथार्थज्ञानवतो न भयम् ॥८॥
॥ इति व्याख्यातं निर्भयाष्टकम् ॥ વિવેચન :- જે મુનિ નિર્ગસ્થ છે, રાગ-દ્વેષની ગાંઠને છેદીને જેણે કષાયો હળવા કર્યા છે. કષાયોની તીવ્રતા છેદીને અતિશય અલ્પરસીભૂત કર્યા છે તેવા નિર્ઝન્ય મુનિને ભય ક્યાંથી હોય? અર્થાત્ તેવા મુનિને કોઈથી ભય સંભવતો નથી. જ્યાં પરદ્રવ્યની આશા નથી. કોઈપણ જાતના પરપદાર્થની જ્યાં અપેક્ષા નથી. આવા નિઃસ્પૃહ અને નિરીહ મુનિનું ચારિત્ર જ અકતોભયવાળું છે. નથી કોઈ તરફથી ભય જેમાં આવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણામ પામ્યું છે એટલે કે આત્માના સ્વરૂપમાં જ સ્થિરતા-સ્વભાવદશાની જ લગની લાગવી, રમ્યભાવોમાં જ (જ્ઞાનાદિ આત્મગુણોમાં જ) રમણતા કરવી, ચેતનાગુણ, વીર્યગુણ, સુખગુણ, દર્શનગુણ ઈત્યાદિ સર્વ આત્મગુણોમાં જ એકાકારતા-લીનતા સ્વરૂપ ચારિત્ર જેના ચિત્તમાં પરિણામ પામ્યું છે તેવા મહાત્મા–પુરુષરૂપ સાધુને ભય ક્યાંથી હોય? આવા મુનિને કોઈપણ તરફથી ભય હોતો નથી.