SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક- ૧૭ ૫૨૩ પરંતુ જ્ઞાન વડે ગૌરવશાલી અધ્યાત્મી-વૈરાગી આત્માઓ પરપદાર્થથી નિઃસ્પૃહ છે, માટે આવા પ્રકારના ભયો રૂપી પવન વડે તેઓનું એક રોમ પણ (રૂંવાટું પણ) કંપતું નથી. કોઈનાથી ડરતા નથી. કારણ કે તેઓને કોઈ પ્રકારના પરપદાર્થની અપેક્ષા જ નથી. ઉપરની ચર્ચાથી સમજાશે કે સાત પ્રકારના ભયના પ્રસંગો જ્યારે જ્યારે નિકટ આવે ત્યારે ત્યારે મૂઢ જીવો એટલે કે પરભાવદશા શું? અને (આત્મત્વ) સ્વભાવદશા શું? એવા ભેદજ્ઞાન વિનાના જીવો, તે તે પરપદાર્થનો વિયોગ થશે તો હું શું કરીશ? એમ પરપદાર્થના વિયોગથી ભયભીત થયા છતા, શરીરથી કંપતા, તેમાંથી બચવા માટે અહીં તહીં ભટકે છે. પરંતુ અસંખ્યાત પ્રદેશોના બનેલા અને અનંત જ્ઞાનાદિ ગુણમયપણે રહેલા એવા આત્માના શુદ્ધ-બુદ્ધ મૂલસ્વરૂપને જોનારા જે મહાત્માઓ છે. તથા આવા પ્રકારના આત્મજ્ઞાનથી જે ગૌરવશાલી છે. વળી આ આત્મા અવિનાશી દ્રવ્ય છે, ચૈતન્યમય દ્રવ્ય છે.” આવા પ્રકારના આત્મજ્ઞાનથી જેઓ રંગાયેલા છે તે મહાત્મા પુરુષોનું અધ્યવસાયાત્મક એક રોમ - નિર્મળ ચિત્ત પરિણતિ સ્વરૂપ એક રૂંવાટું પણ કંપતું નથી. શરીર, ધન, વૈભવ, પરિવારાદિ આવે તો પણ શું? અને જાય તો પણ શું? તેની કદાચ વૃદ્ધિ થાય તો તેથી આત્મતત્ત્વના ગુણોની કંઈ વૃદ્ધિ થતી નથી અને કદાચ તે પદાર્થોની હાનિ થાય તો આત્મગુણોની હાનિ થતી નથી. માટે તેમાં હર્ષ કે ખેદ પામવા જેવું શું છે? કંઈ જ નથી. એવી જ રીતે પૌદ્ગલિક કોઈ પણ સામગ્રી કે પરિવારાદિ જીવો કે મિત્રવર્ગ કાળાન્તરે (ત્વિ:) ગ_રસ્વભાવવાળો (જવાના સ્વભાવવાળો) છે અને તેનો સમય થતાં (તૈ:) ગયો, તેમાં આત્માને શું લાભ? કે શું નુકશાન ? આમાં રડવાનું કે ઉદાસ થવાનું શું કામ છે? આવા પ્રકારના ગલ્વર સ્વભાવવાળા તે પદાર્થો વડે આત્માને શું લાભ ? નોકરી કરવા આવેલો સેવક સમય થતાં આવે છે અને સમય થતાં જાય છે તેવી સંસારની આ લીલા છે. આવા પ્રકારના અધ્યાત્મના અભ્યાસમાં જ એકરસ બનેલા એટલે કે તેની જ લયલીનતાતન્મયતાના આનંદથી આનંદિત થયેલા જીવો સદાકાલ નિર્ભય થયા છતા પરપદાર્થથી નિરપેક્ષપણે આત્મસ્વરૂપમાં જ સ્થિર થઈને રહે છે. liણી. चित्ते परिणतं यस्य, चारित्रमकुतोभयम् । अखण्डज्ञानराज्यस्य, तस्य साधोः कुतो भयम् ॥८॥ ગાથાર્થ - કોઈ તરફથી નથી ભય જેમાં એવું ચારિત્ર જે મહાત્માના ચિત્તમાં પરિણામ પામ્યું છે, તેવા અખંડ જ્ઞાનરૂપી રાજ્યવાળા મુનિમહાત્માને ભય કોના તરફથી હોય? Iટા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy