________________
४८८ માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર तेषामुपचारप्रायः इति । “उपचारो नामान्यत्र सिद्धस्यार्थस्यान्यत्र आरोपो यः" यथा कुण्डिका स्रवति, पन्था गच्छति, उदके कुण्डिकास्थे स्रवति सति कुण्डिका स्त्रवतीत्यच्यते, परुषे च गच्छति पन्था गच्छतीति एवमपचारबहल इत्यर्थः । विस्ततो विस्तीर्णोऽनेकार्थो ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति निगद्यते ।
- વ્યવહારનયનું લક્ષણ કહેવાની ઈચ્છાથી જણાવે છે કે - વિશેષધર્મો એ લૌકિક છે અર્થાત્ લોકગમ્ય છે. તેથી આ વ્યવહારનય વિશેષ એવા તે ઘટાદિ ધર્મો વડે જ વ્યવહાર કરે છે. વળી આ વ્યવહારનય આ વિશેષ ધર્મોનો પ્રાયઃ ઉપચાર કરવાની પ્રધાનતાવાળો છે. અર્થાત્ ઉપચારપણે વસ્તુનો વ્યવહાર કરે છે. ઉપચાર એટલે કે “અન્યત્ર સિદ્ધ થયેલી વસ્તુનો અન્યત્ર આરોપ કરવો તે” જેમકે “કુંડી ઝમે છે, આ માર્ગ અમદાવાદ જાય છે” આ બને વાક્યોમાં જેવું બોલીએ છીએ તેવું વાસ્તવિક સ્વરૂપ નથી. પરંતુ કુંડી ઝમે છે એટલે કે “કુંડીમાં રહેલું પાણી ઝમે છે અર્થાત્ પાણી ટપકે છે. આમ હોવા છતાં આવું બોલાય છે કે “કુંડી ઝમે છે”. તેવી જ રીતે “આ માર્ગે ચાલનારો પુરુષ અમદાવાદ પહોંચે છે. આમ હોવા છતાં પણ “આ માર્ગ અમદાવાદ જાય છે” આમ બોલાય છે. આવા પ્રકારના ઘણી જાતના ઉપચાર કરવાની બહુલતાવાળો આ વ્યવહાર નય હોય છે.
ઉપચાર દ્વારા ઘણો વિસ્તૃત એટલે કે ઘણા જ વિસ્તારવાળો અનેક પ્રકારનો અર્થ છે શેય જેને તે વ્યવહારનય કહેવાય છે. આ પ્રમાણે વિસ્તૃત અર્થવાળો માનસિક જે વિચારવિશેષ તે વ્યવહારનય જાણવો.
ऋजुसूत्रलक्षणं व्याचिख्यासया आह - (सतां साम्प्रतानामर्थानामभिधानપરિજ્ઞાનમૃગુસૂત્ર: (તત્ત્વાર્થભાષ્ય-૧/૩૫) સતાં વિદ્યમાનાના, ન પુષ્પાવીનામસતી, તેષામપિ સત્તાનાં (સમ્રતાન) વર્તમાનાનામર્થીનાં (વટવીન) મિથાનં-શા, परिज्ञानं अवबोधो विज्ञानं यत् स भवति ऋजुसूत्रः । एतदुक्तं भवति
तानेव व्यवहारनयाभिमतान् विशेषान् आश्रयन् विद्यमानान् वर्तमानक्षणवर्तिनोऽभ्युपगच्छन्नभिधानमपि वर्तमानमेवाभ्युपैति, नातीतानागते, तेनानधीयमानत्वात् कस्यचिदर्थस्य, तथा परिज्ञानमपि वर्तमानमेवाश्रयति, नातीतमागामि वा, तत्स्वभावानवधारणात् । अतो वस्त्वभिधानं विज्ञानं चात्मीयं वर्तमानमेवेतीत्थमध्यवसायः, स 2ઢનુસૂત્ર: રૂતિ |
હવે ઋજુસૂત્રનયને સમજાવવાની ઈચ્છાથી ગ્રંથકારશ્રી સમજાવે છે કે “જે જે પદાર્થો