________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૪૮૫ જો ઉક્તથી અનુક્તની પ્રતિપત્તિને પર્યાયવાચી કહીએ તો કોઈ સ્ત્રી પોતાના પુત્રને કહે કે “વિશ'' તું ઘરમાં તો જા, આમ કહેવાથી ઘરમાં પડેલા “ઉપાડ અક્ષય' ભોજનને કર. આ અર્થ પણ નમતુ = સમજાઈ જ જાય છે તો ત્યાં પણ પર્યાયવાચી માનવાનો પ્રસંગ આવશે. તથા “તિર્મવતિપર:” જ્યાં જ્યાં કોઈ ક્રિયાપદ ન હોય ત્યાં ત્યાં ગતિ અને મતિ શબ્દ અધ્યાહરથી સમજી લેવા. આ રીતે પ્રથમ પુરુષમાં ન પ્રયોગ કરાયેલો પણ “પ્તિ અથવા મતિ” જણાય જ છે. તેથી તે પણ જ્યાં જણાશે ત્યાં પર્યાયવાચી જ થશે. તથા “વૃક્ષ: Hક્ષ:” આ વૃક્ષ છે, તે પ્લક્ષ છે. આમ બોલવાથી તિ અનુક્ત હોવા છતાં પણ જણાય જ છે. માટે વૃક્ષ ન્નક્ષ અને મતિ આ સર્વે ન્યાયની રીતિએ પર્યાયવાચી થવાનો પ્રસંગ આવશે. આમ ઘણી જ અવ્યવસ્થા થશે. તેથી સર્વે પણ શબ્દોમાં વ્યુત્પત્તિ પ્રમાણે ભેદ જ છે. આવા પ્રકારનો અર્થ પ્રમાણે નય હોવાથી જેમ હસ્તિ અને અશ્વ શબ્દની એકતાનો અપ્રસંગ છે તેમ દક્તિ અને હસ્તિ શબ્દમાં પણ (એટલે કે પર્યાયવાચી શબ્દોમાં પણ) એકતાનો અપ્રસંગ જ છે. અર્થાત્ પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિ પ્રમાણે અર્થનો ભેદ જ છે. માટે પર્યાયવાચી શબ્દોમાં એકતાની કલ્પના કરવી તે અવસ્તુ જ છે. એકતા કલ્પવી તે અપ્રાસંગિક જ છે. આમ સમભિરૂઢ નય કહે છે.
___ एवम्भूतनय आह-निमित्तं क्रियां कृत्वा शब्दः प्रवर्तते, न हि यदृच्छाशब्दोऽस्ति अतो घटमान एव घटः, कुटंश्च कुटो भवति, पूरणप्रवृत्त एव पुरन्दरः, यथा दण्डसम्बन्धानुभवनप्रवृत्तस्यैव दण्डित्वम्-अन्यथा व्यवहारलोपप्रसङ्गः, न चासौ तदर्थः, अनिमित्तत्वात् ।
એવંભૂતનયનું કહેવું આ પ્રમાણે છે કે – કોઈ પણ શબ્દની પ્રવૃત્તિમાં પોત-પોતાની ક્રિયા એ નિમિત્ત છે. પોતાનાથી વાચ્ય ક્રિયાનું નિમિત્ત કરીને શબ્દનો પ્રયોગ થાય છે, પણ યદેચ્છાએ (ગમે તેમ, ગમે ત્યાં શબ્દનો પ્રયોગ થતો નથી. માટે ક્રિયાકાલે જ તે તે શબ્દનો પ્રયોગ થાય છે. જેમકે ઘટમાન ક્રિયાવાળો જે પદાર્થ તે જ ઘટ કહેવાય છે. જલાધાર બનતો હોય, સ્ત્રીના માથા ઉપર ઉપાડાતો હોય, પાણી લવાતું હોય અથવા લઈ જવાતું હોય. આમ ઘટની ચેષ્ટા કરતા ઘટને જ ઘટ કહેવાય છે. એવી જ રીતે કુટનક્રિયા કરતા કુટને જ કુટ કહેવાય છે. ઈન્દ્રમહારાજા નગરને વિદારતા હોય ત્યારે જ પુરંદર કહેવાય છે. જેમ દંડના સંબંધના અનુભવમાં પ્રવર્તેલાને જ દંડી પુરુષ કહેવાય છે. અર્થાત્ લાકડી રાખતો હોય તેને જ લાકડીવાળો પુરુષ કહેવાય છે. પરમાત્મા જ્યારે તીર્થની સ્થાપના કરે ત્યારે જ તીર્થકર પ્રભુ કહેવાય છે. જો આમ ન વિચારીએ અને ક્રિયાકાલ વિના પણ તે તે શબ્દોના પ્રયોગો કરીએ તો ગમે ત્યાં, ગમે તે શબ્દોનો પ્રયોગ થવા લાગે અને એમ થાય તો સર્વે લોકોમાં