SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ માધ્યસ્થાષ્ટક - ૧૬ જ્ઞાનસાર તથા આમ અન્તિમ-વિશેષથી જ જો વસ્તુ-ગ્રહણ સ્વીકારીએ તો તે અન્તિમ-વિશેષ ભાષાનો અવિષય હોવાથી ઉપદેશ આપવાની ક્રિયા, ભોગ-ઉપભોગની ક્રિયા તથા સ્વર્ગઅપવર્ગની વ્યવસ્થા વગેરે શબ્દો દ્વારા સમજવી-સમજાવવી અશક્ય બની જાય, તેથી તેનો અભાવ થવાથી સર્વે પ્રકારના સમ્યગ્-વ્યવહારનો ઉચ્છેદ જ થઈ જશે. તથા “સર્વથા વિશેષ જ છે” આમ કહ્યુ છતે સામાન્ય બીલકુલ ન સ્વીકારવાથી સામાન્ય નામના કારણ વિના પદાર્થનું ભવન (અસ્તિત્વ) ન થવાથી પદાર્થનો અભાવ જ થઈ જવાનો પ્રસંગ આવે. જો માટી નામનું સામાન્યાત્મક કારણ જ ન સ્વીકારીએ તો ઘટ નામના વિશેષનું ભવન જ ન થાય તેથી પદાર્થનો અભાવ થવાનો જ પ્રસંગ આવે. તે માટે આવા પ્રકારના પોતપોતાના અવાન્તર સામાન્યથી યુક્ત પદાર્થો છે. ૪૭૬ अविशेषत्वाभेदत्वानिरूप्यत्वादितश्च नैवासौ भावः खरविषाणादिवत् । तस्माद् व्यवहारोपनिपतितसामान्योपनिबन्धनं तु यदेव यद् यदा द्रव्यं पृथिवी-घटादि व्यपदिश्यते तदेव तद् तदा त्रैलोक्याविभिन्नरूपं सततमवस्थितापरित्यक्तात्मसामान्यं महासामान्यप्रतिक्षेपेण संव्यवहारमार्गमास्कन्दतीति । एवंविधवस्तूपनिबन्धनैव च वर्णाश्रमप्रतिनियतयमनियमगम्यागम्यभक्तादिव्यवस्था । कुम्भकारादेश्च मृदानयनाऽवमर्दनशिवकस्थासकादिकरणप्रवृत्तौ वेतनकादिदानस्य साफल्यम् । अव्यवहार्यत्वाच्च शेषमवस्तु व्योमेन्दीवरादिवदिति । તથા આ ઘટ-પટ-ઉદાદિ પદાર્થ સર્વથા અવિશેષત્વ, અભેદત્વ અને અનિરૂપ્યત્વ આદિ સ્વરૂપે પણ ખરરવષાણની જેમ નથી જ, અર્થાત્ ઘટ-પટ-ઉદકાદિ પદાર્થો સર્વથા વિશેષ વિનાના, સર્વથા ભેદ વિનાના અને સર્વથા નિરૂપણ ન કરાય તેવા તેવા સ્વરૂપવાળા પણ નથી. જો તેમ હોય તો ખર-વિષાણની જેમ સર્વથા અસત્ જ થાય. સારાંશ કે અન્તિમ વિશેષવાળા છે એમ પણ નહીં અને સર્વથા વિશેષ વિનાના છે એમ પણ નહીં. તેથી લોકવ્યવહારથી જણાતું એવું સામાન્ય જેમાં કારણરૂપે રહેલું છે આવા પ્રકારનું જે જે દ્રવ્ય જ્યારે જ્યારે આ પૃથ્વી છે એમ બોલાય, અથવા આ ઘટ છે આમ બોલાય ત્યારે ત્યારે તે તે દ્રવ્ય, ત્રણે લોકના પદાર્થોની સાથે કથંચિદ્ અભિન્ન સ્વરૂપવાળા એવા તે મહાસામાન્ય (સત્તા-દ્રવ્યત્વ ઈત્યાદિ)નો પ્રતિક્ષેપ કરવાપૂર્વક (નિષેધ કરવા પૂર્વક) નિરંતરપણે અવસ્થિત એવા પોતપોતાના અવાન્તર સામાન્યને (પૃથિવી-ઘટ ઈત્યાદિ)ને ત્યજ્યા વિના સમ્યવ્યવહારને પામે છે. આ નૃષિંડ છે, આ ઘટ છે. આવા પ્રકારના પોત-પોતાના અવાન્તર-સામાન્યરૂપે જ વસ્તુનો વ્યવહાર કરાય છે. અન્તિમ-સામાન્ય પણ નહીં અને અન્તિમ-વિશેષ પણ નહીં એવા પ્રકારની જ વસ્તુના કારણવાળી બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy