________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૪૧ પદ્રવ્યના દુઃખે પોતાની જાતને દુઃખી સમજે છે. આત્મા એક સ્વતંત્ર ભિન્ન દ્રવ્ય છે એવું આ જીવ સમજતો જ નથી. ભેદજ્ઞાનને બદલે મોહના ઉદયથી અભેદજ્ઞાન કરે છે.
વીતરાગ પરમાત્માથી પ્રણીત શુદ્ધ એવાં જે આગમ શાસ્ત્રો છે તે શાસ્ત્રોનું શ્રવણ ન હોવાથી નથી જાણ્યો સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિવેક જેણે એવો આ અજ્ઞાની આત્મા પરને પોતાના આત્માપણે જાણતો છતો અને પોતાના આત્માને પરદ્રવ્યની સાથે એકમેક-અભેદ બુદ્ધિ રૂપે માનતો છતો અનંતકાલ સુધી આ સંસારમાં રખડે છે. મોહ દશા આવી છે, ભ્રમ કરાવનાર છે. આત્મતત્ત્વને ભુલાવનાર છે. પરની (શરીરાદિની) જ આળપંપાળમાં જ સમય પસાર કરાવે છે. આ કારણથી આ અવિવેક ત્યાજ્ય છે. અવિવેકવાળી બુદ્ધિ ત્યજીને વિવેકવાળા બનવું જોઈએ. //પા.
પુનઃ શુદ્ધતા શુદ્ધતહેતુત્વોપવે વથતિ = વળી શુદ્ધતા અને અશુદ્ધતાના હેતુનો ઉપદેશ સમજાવે છે -
इच्छन्न परमान् भावान्, विवेकाद्रेः पतत्यधः । परमं भावमन्विच्छन्नाविवेके निमज्जति ॥६॥
ગાથાર્થ :- પરમ ભાવોને (સર્વોત્તમ ભાવોને) ન ઈચ્છતો પુરુષ વિવેકરૂપી ગિરિ ઉપરથી નીચે પડે છે અને પરમ ભાવને ઈચ્છતો પુરુષ અવિવેકમાં ક્યારેય પણ ડૂબતો નથી. દા.
ટીકા :- “રૂચ્છન પરમાનિતિ”, પરમાન્ માવાન્ પરમાવાદના सम्मतशुद्धचैतन्यानुगसर्वधर्मपरिणमनेन परमान्-उत्सर्गशुद्धनयोपदिष्टान् नित्यानित्याद्यनन्तान् न इच्छन्-न वाञ्छन् विवेकाद्रेः-तत्त्वज्ञानतत्त्वरमणगिरेः शृङ्गाद् अधः पतति-विवेकरहितो भवति, परमं शुद्धं तादात्म्यतागतं सर्वविशुद्धात्मस्वभावं स्याद्वादोपयोगेन अन्विच्छन्-गवेषयन् शुद्धचैतन्यमुपादेयतया कुर्वन् अविवेके-अज्ञाने असंयमे न निमज्जति-न मग्नो भवति । आत्मस्वरूपैकत्वानुभवकरणप्रवृत्तः परभावचूरणचक्रवर्ती एव इति समस्तपरभावोन्मादमन्थनपटुशुद्धात्मज्ञानरमणानुभवने यतितव्यम्, नार्वाचीनपरिणतौ, अत एवापूर्वकरणप्रविष्टमुनिरनेकर्द्धिलाभे न सङ्गतिमङ्गति । अपूर्वकरणं च सर्वाभिनवगुणप्राप्तौ भवत्येव ।
વિવેચન :- પરમભાવગ્રાહક નયને માન્ય એવું આત્મામાં વર્તતું જે શુદ્ધ ચૈતન્ય છે. તે સિદ્ધપરમાત્મામાં રહેલા ચૈતન્ય જેવું નિર્મળ-નિર્દોષ ચૈતન્ય સંસારી સર્વ જીવોમાં સ્વરૂપથી