________________
વિવેકાષ્ટક - ૧૫
૪૩૧
વ્યવહારનય :- દેવ-ગુરુ-ધર્મમાં સુદેવાદિ અને કુદેવાદિનો વિવેક કરવો, બાધક
સાધક તત્ત્વનો વિવેક કરવો તે વ્યવહારનય જાણવો.
જ્ઞાનમંજરી
ઋજુસૂત્રનય :- આપણી ભૂમિકાને અનુસારે ક્યાં ક્યાં ધર્મનાં સાધનો આપણને ઉપકાર કરનાર બને ? અને કયાં કયાં ધર્મના સાધનો અનુપકારક બને ? તેનો વિવેક કરવો, તે ઋજુસૂત્રનયથી વિવેક જાણવો.
વિભાવદશાથી આત્માને દૂર રાખવો તે શબ્દનયથી વિવેક, ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય તેવા ઉપયોગાદિ રાખવા તે સમભિરૂઢનયથી વિવેક તથા ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય તેવી નિર્મળ પરિણતિ રાખવી તે એવંભૂતનયથી વિવેક આમ વિવેક ઉપર સાત નય જાણવા. कर्म जीवञ्च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते योऽसौ मुनिहंसो विवेकवान् ॥१॥
ગાથાર્થ :- સર્વકાળે ક્ષીર અને નીરની જેમ એકમેક થયેલા એવા કર્મ અને જીવને
જે ભિન્ન ભિન્ન સમજે છે અને ભિન્ન કરે છે આ મુનિ રૂપી હંસ વિવેકવાળા છે. ॥૧॥
ટીકાઃ- ‘“ર્મ નીવ ચ' કૃતિ, ર્મ-જ્ઞાનાવર વિમ્, નીવØ-મષ્વિવાનન્દ્રરૂપ, સર્વવા-સર્વાતમ્, ક્ષીર-પય:, નીર-ખાં, તવત્ મંoિમ્-પીભૂત યો विभिन्नीकुरुते-लक्षणादिभेदैः पृथक् पृथक् कुरुते असौ मुनिहंसः विवेकवान्મેજ્ઞાનવાન્ । ( ૨ ) નીવ: નિત્ય:, પુર્વાસા: અનિત્યા:, (૨) નીવ: અમૂર્ત:, પુાતા: મૂર્તા:, (૨) નીવોઽન્નત:, પુર્વીનાશ્રુતા:, (૪) નીવ: જ્ઞાનાદ્યનન્તચેતનાलक्षण:, पुद्गलाः अचेतना:, (५) जीवः स्वरूपकर्ता स्वरूपभोक्ता स्वरूपरमणो भवविश्रान्तः, पुद्गलाः कर्त्तृत्वादिभावरहिताः, इत्यादिलक्षणैः विभज्य यो विरक्तः स मुनि:-श्रमणः विवेकवान् - विवेकयुक्त इति ज्ञेयम् ॥१॥
વિવેચન :- કર્મ અને જીવ અનાદિકાલથી એકમેક થયેલ છે. જેમ કંચન અને ઉપલ (માટી) સાથે જ છે. તેમ જીવ અને કર્મ અનાદિકાલથી સાથે જ રહેલ છે. તન્મય થઈને રહેલાં છે. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મો અને સમ્યજ્ઞાનના આનંદમય એવો આ જીવ આ બન્ને વસ્તુ સર્વકાલે ક્ષીર-નીરની જેમ (દૂધ અને પાણીની જેમ) સંશ્લિષ્ટ બનેલી છે. એકમેક થયેલી છે. આત્માના પ્રદેશે પ્રદેશે અનન્ત અનન્ત કર્મપુદ્ગલો એકીભાવને પામેલાં છે. જેમ દૂધ અને પાણી એકમેક થયા પછી તેને ભિન્ન કરવું દુષ્કર છે. તેમ આત્મા અને કર્મ એવાં એકમેક થયેલ છે કે તેને ભિન્ન કરવાં અત્યન્ત દુષ્કર છે. છતાં હંસ-પ્રાણી એવું