________________
૪૨૪
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
લેનાર એમ બન્નેનું અહિત-અકલ્યાણ થાય. પણ જો અસંસ્તરણાવસ્થા હોય તો રોગીને અપાતા ઔષધની જેમ તે જ અશુદ્ધ આહાર હિતકારી જાણવો. આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે. ગાથા ૧૬૦૮ ।
अन्ये त्वाहुकारणेऽपि गुणवत्पात्रायाप्रासुकादिदाने परिणामवशात् बहुतरा निर्जरा भवति, अल्पतरं च पापं कर्म इति । निर्विशेषणत्वात् सूत्रस्य, परिणामस्य च प्रामाण्यात् । आह
-
परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरियसाराणं । परिणामिअं पमाणं, निच्छयमवलम्बमाणाणं ॥७६१ ॥
(ઓઘનિયુક્તિ ગાથા-૭૬૧)
રૂત્યૂહમ્ । પુનઃ
चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । चरणकरणस्स सारं, णिच्छयसुद्धं न जाणन्ति ॥६७॥
(સન્મતિપ્રકરણ કાણ્ડ-૩, ગાથા-૬૭)
।
अहागडाई भुंजंति, अण्णमणे सकम् उवलित्ते ति जाणिज्जा, अणुवलित्ते ति वा पुणो ॥८॥
एतेहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥९॥
(સૂયગડાંગસૂત્ર શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૫, ગાથા-૮-૯)
इति द्वितीयाङ्गे २१ अध्ययने ( द्वितीयश्रुतस्कन्धे पञ्चमाध्ययने ) इत्यादि गीतार्थस्याकल्प्यं कल्प्यम्, एषा लब्धिः तत्त्वज्ञानवतामेव ॥७॥
વળી બીજા આચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે કે - કદાચ આવું ગાઢ કારણ ન હોય તો પણ એટલે કે માંદગી-શરીરની પ્રતિકૂળતા કે રોગાદિનાં કારણો ન હોય અને સુખે સુખે સંયમયાત્રા સાચવી શકે તેમ હોય તો પણ જો ગુણવાન પાત્ર હોય તો તેના ગુણોથી આકર્ષાઈને તેમનામાં ગુણોની વધારે વૃદ્ધિ થાય એવા શુભ પરિણામના વશથી દોષત આહાર કદાચ કોઈ ગૃહસ્થ આપે તો તે ગૃહસ્થને કર્મોની ઘણા પ્રમાણમાં નિર્જરા થાય છે અને અલ્પપ્રમાણમાં પાપકર્મોનો બંધ થાય છે. સૂત્રમાં કહેલું કથન હંમેશાં નિર્વિશેષપણે (સામાન્યપણે) જ હોય